શરીરમાંથી દુર્ગંધ આવવી એ એક સામાન્ય સમસ્યા છે. જોકે તે ઘણા કારણોસર થઈ શકે છે. ચાલો જાણીએ કે શરીરમાં કયા કારણોથી દુર્ગંધ ઉત્પન્ન થાય છે.
શરીરમાં પરસેવો આવવો એ એક સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ, જ્યારે પરસેવો વધુ માત્રામાં આવે છે, ત્યારે તે શરીર પર જમા થવા લાગે છે. આને કારણે જ તે દુર્ગંધનું કારણ બનવા લાગે છે.
શરીરની સ્વચ્છતાનું ધ્યાન ન રાખવામાં આવે તો શરીર પર બેક્ટેરિયા જમા થઈ શકે છે, જે આખરે દુર્ગંધનું કારણ બને છે.
ડુંગળી, લસણ અને મસાલેદાર ભોજન જેવા કેટલાક ખાદ્ય પદાર્થો પાચન દરમિયાન દુર્ગંધયુક્ત વાયુઓ પેદા કરી શકે છે.
કેટલીક તબીબી પરિસ્થિતિઓ જેમ કે ડાયાબિટીસ, કિડનીની બીમારી અને પાચન સંબંધિત સમસ્યાઓ પણ દુર્ગંધનું કારણ બની શકે છે.
પ્યુબર્ટી, ગર્ભાવસ્થા અને મેનોપોઝ (માસિક ધર્મ બંધ થવો) જેવા હોર્મોનલ ફેરફારો શરીરની દુર્ગંધને અસર કરી શકે છે.
શું તમે જાણો છો કે તણાવ અને ચિંતાના કારણે આવતા પરસેવાના કારણે પણ શરીરમાં દુર્ગંધની મુશ્કેલી થાય છે.
જે જૂતા અને કપડાં યોગ્ય રીતે ધોવાતા નથી અથવા જે સિન્થેટિક સામગ્રીથી બનેલા હોય છે તે પણ દુર્ગંધનું કારણ બની શકે છે.