ભારતના આ ગામમાં ઘૂસવાની હિંમત નથી કરતા ચોર, જાણો રહસ્ય


By Dimpal Goyal27, Oct 2025 12:58 PMgujaratijagran.com

દરવાજા વગરનું ગામ

મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લામાં આવેલું શનિ શિંગણાપુર ગામ એક એવું સ્થાન છે જ્યાં કોઈ ઘરને દરવાજો નથી!

ચોરી નથી થતી

આજના સમયમાં જ્યાં ચોરી સામાન્ય વાત બની ગઈ છે, ત્યાં આ ગામમાં ક્યારેય ચોરીની ઘટના બની નથી.

શનિદેવની કૃપા

ગામના લોકોનો વિશ્વાસ છે કે શનિદેવ પોતે ગામની રક્ષા કરે છે, તેથી કોઈને ચોરી કરવાની હિંમત થતી નથી.

કિંમતી વસ્તુઓ પણ ખુલ્લી રાખે છે

લોકો પોતાના સોનાના આભૂષણો અને કિંમતી વસ્તુઓને માત્ર કપડામાં ઢાંકીને રાખે છે , કોઈ કબાટ કે તાળા વગર!

બેંકમાં પણ નથી દરવાજા

આશ્ચર્યજનક રીતે, અહીંની બેંકમાં પણ દરવાજો નથી. છતાં કોઈ ચોરીની ઘટના ક્યારેય નોંધાઈ નથી. જે આ ગામને વધુ ખાસ બનાવે છે.

શનિદેવ પર વિશ્વાસ

લોકોમાં માન્યતા છે કે જો કોઈ ચોરી કરે તો શનિદેવ પોતે સજા આપે છે.

મેળા દરમિયાન પણ ઘર ખુલ્લા રહે

મોટા મેળા દરમિયાન પણ લોકો પોતાના ઘર ખુલ્લા રાખે છે, અને છતાં કંઈ ગુમ થતું નથી.

શનિ મંદિર માટે પ્રસિદ્ધ ગામ

શનિ શિંગણાપુર ગામ આજે શનિદેવના પ્રસિદ્ધ મંદિર માટે સમગ્ર ભારતમાં જાણીતું છે.

વાંચતા રહો

આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દુનિયાની 5 એવી રહસ્યમય જગ્યા, જ્યાં માણસોને જવાની છે મનાઈ