શિવલિંગ પર ચડાવો આ 5 વસ્તુઓ, ભોલેનાથ પ્રસન્ન થઈને આપશે આશિર્વાદ


By Kajal Chauhan26, Jul 2025 05:31 PMgujaratijagran.com

હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન શિવની કૃપાથી ધન અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

દહીં

શિવલિંગ પર દહીં અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે શિવજીને દહીં ચડાવવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને આર્થિક તંગીથી છુટકારો મળે છે.

ગંગાજળ

એવું માનવામાં આવે છે કે શિવલિંગનો ગંગાજળથી અભિષેક કરવાથી માનસિક શાંતિ મળે છે. આ ઉપરાંત તેનાથી જાતકને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને કારકિર્દીમાં પ્રગતિ મળે છે.

કાળા તલ

શિવજીની પૂજામાં કાળા તલનું વિશેષ મહત્વ હોય છે. શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

ગાયનું ઘી

એવી માન્યતા છે કે શિવલિંગ પર ગાયનું ઘી ચડાવવાથી દેવામાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત વ્યક્તિને રોગોથી પણ મુક્તિ મળે છે.

શેરડીનો રસ

શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે શિવજીને શેરડીનો રસ ચડાવવાથી ધન લાભના યોગ બને છે.

શ્રાવણમાં આ સપના આવે તો સમજજો કે તમારા પર શિવની કૃપા થઈ છે