રસોડું એ ઘરનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન છે, પરંતુ જો ત્યાં વંદા (કોકરોચ) દેખાવા લાગે તો સ્વચ્છતા અને આરોગ્ય બંને માટે ખતરો બની શકે છે. રસોડામાં ખાવા-પીવાની વસ્તુઓ અથવા કચરાની આજુબાજુ વંદા ઝડપથી આવી જાય છે. ખાસ કરીને જ્યાં ગંદકી હોય ત્યાં તેમનો કહેર વધારે હોય છે.આવો જાણીએ કેટલીક સરળ અને અસરકારક ઘરેલુ રીત, જેનાથી વંદા ભગાડી શકાય.
રસોડામાં ઉપયોગમાં લેવાતો તમાલ પત્ર વંદા ભગાડવામાં ખૂબ અસરકારક છે. રસોડાના ખૂણાઓમાં થોડા તમાલ પત્ર રાખી દો, તેની સુગંધથી કોકરોચ દૂર રહેશે.
ડુંગળીની તીવ્ર મહેક કોકરોચને ગમતી નથી. ડુંગળીને ટુકડાઓમાં કાપી લો અને રસોડાના ખૂણામાં મૂકી દો, તેની ગંધથી વંદા ભાગી જશે.
કોઈપણ ફાર્મસી અથવા ફોર્ચ્યુનરની દુકાનથી બોરિક પાવડર મેળવી લો. તેને લોટમાં મિક્સ કરી ગોળીઓ બનાવો અને ખૂણામાં મૂકી દો, વંદા તેને ખાશે તો મરી જશે.
બેકિંગ સોડામાં સાકર મિક્સ કરો અને નાના બોલ બનાવો, તેને રસોડાના ખૂણામાં મૂકી દો. આ મિશ્રણ કોકરોચ માટે ઝેરી સાબિત થાય છે અને તેમનો સફાયો થઈ જાય છે.
કેરોસિન માત્ર સ્ટવ સળગાવવા માટે જ નહીં, કોકરોચ ભગાડવા માટે પણ ઉપયોગી છે. ઘરના ખૂણામાં કેરોસીનનો હળવો સ્પ્રે અથવા કપડું લગાવો, તેની તીવ્ર ગંધથી વંદા ભાગી જશે.
લવિંગની તીવ્ર સુગંધ કોકરોચને દૂર રાખે છે. રસોડાના ખૂણામાં થોડા લવિંગ મૂકી દો અથવા લવિંગના તેલનો ઉપયોગ કરો.
આ વસ્તુઓ એવી જગ્યાએ રાખો જ્યાં બાળકોનો હાથ ન પહોંચે. કેટલીક વસ્તુઓ ઝેરી હોઈ શકે છે, તેથી સાવચેતીથી ઉપયોગ કરો.
અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.