કોણી કાળી પડવી એ સામાન્ય ત્વચાની સમસ્યા છે. વધુ ઘર્ષણ, તડકામાં રહેવું, અથવા મૃત ત્વચા કોષોના જમાવાથી ત્વચા કાળી દેખાય છે. નીચે જણાવેલા કુદરતી ઘરેલુ ઉપાય દ્વારા તમે કોણીની કાળાશ ઘટાડીને ત્વચાને નરમ અને ઉજળી બનાવી શકો છો.
દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાને નરમ બનાવે છે. હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે.
દહીંમાં થોડી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. તે પેસ્ટ કોણી પર લગાવો અને 15–20 મિનિટ સુધી રહેવા દો, બાદમાં હૂંફાળા પાણીથી ધોઈ લો. આ ઉપાય ત્વચાનો રંગ સુધારે છે અને કોણીને મુલાયમ બનાવે છે.
લીંબુમાં કુદરતી બ્લીચિંગ ગુણધર્મો છે, તે ખાંડ ત્વચાને સ્ક્રબ કરીને મૃત કોષોને દૂર કરે છે.
લીંબુના રસમાં ખાંડ મિક્સ કરો અને તે મિશ્રણ કોણી પર હળવે હાથે ઘસો. 10–15 મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો, અઠવાડિયામા 2–3 વાર આ ઉપાય કરવાથી ત્વચામાં નિખાર આવે છે.
એલોવેરા ત્વચાને ભેજ આપે છે અને ઠંડક પહોંચાડે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ત્વચાના રંગને સુધારે છે.
તાજી એલોવેરા જેલ કોણી પર લગાવો, 15–20 મિનિટ પછી ધોઈ લો. દરરોજ ઉપયોગ કરવાથી કોણીની ત્વચા કોમળ અને ઉજળી બને છે.
બેકિંગ સોડા એક ઉત્તમ એક્સફોલિએટર છે. તે મૃત ત્વચા દૂર કરીને ત્વચાને સ્વચ્છ અને નરમ બનાવે છે.
બેકિંગ સોડામાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો, તે પેસ્ટ કોણી પર લગાવી 5–10 મિનિટ સુધી હળવા હાથે ઘસો પછી હૂંફાળા પાણીથી ધોઈ લો. નિયમિત ઉપયોગથી કાળાશ ઘટે છે અને ત્વચાનો ટેક્સચર સુધરે છે.
લાઈફસ્ટાઈલની સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.