રવાના શીરાની વાત આવે એટલે સત્યનારાયણ ભગવાનના પ્રસાદ યાદ આવી જાય છે. આજે આવો રવાનો શીરો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી જાણીશું.
રવો,ઘી,દૂધ,સાકર,બદામ,કાજુ-કિસમિસ,એલચીનો પાવડર.
સૌ પ્રથમ એક નોન-સ્ટીક પેનમાં ઘી નાખીને ગરમ કરી પછી તેમાં રવો ઉમેરીને મિક્સ કરો.
હવે થોડીવાર ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રવાને શેકી લો.
હવે તેમાં શેકેલ રવામાં દૂધ,ગરમ પાણી અને સાકર નાખીને મિક્સ કરો.
હવે તેમાં સમારેલ કાજુ-કિસમિસ,બદામ,પિસ્તા,અખરોટ વગેરે ડ્રાયફ્રૂટ ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં ઈલાયચી પાવડર અને કેસર ગાર્નિશ કરીને ગરમાં-ગરમ સર્વ કરો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.