કારેલાની કડવાશ કેવી રીતે દૂર કરવી


By Dimpal Goyal02, Nov 2025 03:02 PMgujaratijagran.com

કારેલા

કારેલા ખાવામાં કડવા હોઈ શકે છે પણ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે, જો તમે પણ કારેલાની કડવાશને કારણે ખાતા નથી, તો અહીં કેટલીક ટિપ્સ જાણો જે કારેલાની કડવાશ દૂર કરવામાં મદદ કરી શકે છે.

કારેલામાં રહેલા પોષક તત્વો

કારેલા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. પરંતુ કડવા કારેલા બહુ ઓછા લોકોને ભાવતા હોય છે. કારેલામાં આયર્ન, ફાઈબર, વિટામીન A, વિટામીન C તેમજ ઝિંકની માત્રા સારામાં સારી હોય છે. તે અનેક બીમારીઓને દૂર કરી કરી શકે છે.

ગોળ અથવા ખાંડ ઉમેરો

કારેલાની કડવાશ દૂર કરવા માટે, તમે તેને બનાવતી વખતે થોડી ખાંડ અથવા ગોળ ઉમેરી શકો છો.

પાણીમાં પલાળી રાખો

કારેલાની કડવાશ દૂર કરવા માટે, તમે તેને મીઠાના પાણીમાં પલાળી શકો છો. આ રીતે કારેલાની કડવાશ ઓછી થશે.

તેલની મદદ લો

કારેલાને તેલમાં તળવાથી તેની કડવાશ દૂર કરવામાં પણ મદદ મળી શકે છે.

કારેલા કેવી રીતે કાપવા

કારેલાને યોગ્ય રીતે છોલીને કાપવાથી તેની કડવાશ ઓછી થાય છે. તેની છાલ યોગ્ય રીતે કાઢીને તેના બીજ અલગ કરો.

દહીંનો ઉપયોગ કરો

દહીં કારેલાની કડવાશ દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. આ માટે કારેલાને દહીં અથવા છાશમાં પલાળી રાખો. આ રીતે કારેલાનો સ્વાદ બિલકુલ કડવો નહીં લાગે.

વાંચતા રહો

અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં બાળકોને આપો હેલ્ધી અને ટેસ્ટી સીંગની ચીક્કી