Nail Biting Habit: નખ ચાવવાની આદત આજથી જ છોડો, નહીંતર શરીર બની જશે બીમારીઓનું ઘર


By Sanket M Parekh10, Oct 2025 06:35 PMgujaratijagran.com

નખ ચાવવાની આદતથી શું થાય?

ઘણાં લોકો ટેન્શનમાં કે પછી નવરા પડે તે સાથે જ આંગળા મોંઢામાં નાંખીને નખ ચાવવાની આદત હોય છે. જો કે ખૂબ ઓછા લોકો જાણે છે કે, તેમની આ આદત સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક નીવડી શકે છે. તો ચાલો નખ ચાવવાની આદતથી સ્વાસ્થ્યને થતાં ગંભીર નુકસાન વિશે જાણીએ..

બેક્ટેરિયાનું જોખમ વધે

નખની નીચે અનેક પ્રકારના બેક્ટેરિયા અને ગંદકી જમા રહે છે. જ્યારે તમે નખ ચાવો છો, ત્યારે આ બેક્ટેરિયા સીધા મોંમાં જાય છે, જેનાથી ચેપ લાગી શકે છે.

પેટમાં ગરબડ થઈ શકે

નખની સાથે અંદર જતા જંતુઓ આંતરડાને અસર કરી શકે છે. આના કારણે ઊલટી, ઝાડા અથવા ફૂડ પોઇઝનિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

મોંઢામાં ઈન્ફેક્શનનો ખતરો

નખ ચાવવાથી બેક્ટેરિયા દાંત અને પેઢા સુધી પહોંચી જાય છે. તેનાથી માઉથ ઇન્ફેક્શન, બદબૂદાર શ્વાસ અને પેઢામાં સોજો જેવી તકલીફો થઈ શકે છે.

નખનો આકાર બગાડે

સતત નખ ચાવવાથી તેનો કુદરતી આકાર બગડી જાય છે. નખ નબળા, તૂટી શકે તેવા અને અસમાન બની જાય છે, જેનાથી હાથની સુંદરતા પણ ઓછી થાય છે.

દાંતને નુકસાન

વારંવાર નખ ચાવવાથી દાંત પર દબાણ આવે છે. આનાથી દાંતનું ઇનેમલ ઘસાઈ શકે છે અને લાંબા ગાળે દાંત નબળા કે વાંકાચૂકા થઈ શકે છે.

આંગળીઓમાં દુખાવો અને સોજો

સતત નખ ચાવવાથી આસપાસની ત્વચા છોલાઈ જાય છે. તેનાથી લાલાશ, દુખાવો અને ક્યારેક-ક્યારેક પરુ પણ થઈ શકે છે.

તણાવ અને ચિંતાનો સંકેત

નખ ચાવવાની આદત ઘણીવાર માનસિક તણાવ કે એન્ઝાયટીનો સંકેત હોય છે. આ આદત ધીમે ધીમે એક મનોવૈજ્ઞાનિક સમસ્યાનું રૂપ લઈ શકે છે.

Stomach Cancer Symptoms: પેટમાં કેન્સરના આ લક્ષણોને અવગણવાની ભૂલ ભારે પડશે