IND U19 vs BAN U19: T20 વર્લ્ડ કપ 2026ને લઈ BCCI અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. તેની અસર હવે ક્રિકેટના મેદાન પર પણ જોવા મળી રહી છે. ICC Under-19 વર્લ્ડ કપ-2026ના ગ્રુપ-A ની મેચમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક એવી ઘટના જોવા મળી કે જે મેદાનમાં ભાગ્યે જ જોવા મળે છે. બન્ને ટીમના કેપ્ટને ટોસ ઉછાળ્યા બાદ એકબીજા સાથે હાથ મિલાવ્યા ન હતા.
ટોસ બાદ હાથ મિલાવવો નહીં
વાસ્તવમાં, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટોસ દરમિયાન બંને ટીમોના કેપ્ટનોએ હાથ મિલાવ્યો ન હતો, જેના કારણે ક્રિકેટ જગતમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. 17મી જાન્યુઆરીએ ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં રમાયેલી આ મેચ વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Toss news 🗞️#TeamIndia will bat first in their second group game 🆚 Bangladesh!️#ICCMensU19WC | #INDvBAN 👉 LIVE NOW ➡️ https://t.co/DGP23ftABG pic.twitter.com/5hZ9PFHbFL
— Star Sports (@StarSportsIndia) January 17, 2026
બાંગ્લાદેશના નિયમિત કેપ્ટન મોહમ્મદ અઝીઝુલ હકીમ તમીમ બીમારીને કારણે બહાર થઈ ગયો હતો અને તેના સ્થાને ટોસ માટે વાઈસ-કેપ્ટન જવાદ અબરારને લેવામાં આવ્યા હતા.
આયુષ મ્હાત્રેએ ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. ટોસ દરમિયાન કેપ્ટનો વચ્ચે પરંપરાગત હાથ મિલાવવાની ઘટના બની ન હતી, જે કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી. જોકે આ બાબતે બંને ટીમો દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
આ ટ્રેન્ડ એશિયા કપથી શરૂ થયો હતો
એ નોંધનીય છે કે ગયા વર્ષે એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનના કેપ્ટનોએ ટોસ સમયે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો ત્યારે સિનિયર સ્તરે પણ આવી જ ઘટના બની હતી. વધુમાં તાજેતરના સમયમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવના અહેવાલો આવ્યા છે.
