PM Narendra Modi: ભારતની દરિયાઈ સરહદોની સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને વેગ આપતી એક ઐતિહાસિક ઘટના સામે આવી છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં સ્થિત શ્યામા પ્રસાદ મુખર્જી બંદર (પોર્ટ) ખાતે આયોજિત એક ભવ્ય અને સત્તાવાર સમારોહમાં દેશમાં જ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત ત્રણ શક્તિશાળી નૌકા જહાજોને ભારતીય નૌકાદળ (Indian Navy) માં સામેલ કર્યા છે. નૌકાદળના કાફલામાં સામેલ થયેલા આ ત્રણ અત્યાધુનિક જહાજોમાં સ્ટીલ્થ ફ્રિગેટ 'દુનાગિરી', ચોથું મોટું સર્વે વેસલ 'સંશોધક' અને એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ 'આગ્રે' (INS અગ્રે) નો સમાવેશ થાય છે. આ ત્રણેય જહાજો ભારતીય નૌકાદળની લડાઇ, સમુદ્રી સર્વેક્ષણ અને દુશ્મનની સબમરીન વિરોધી કામગીરીની ક્ષમતાઓમાં અભૂતપૂર્વ વધારો કરશે.
A milestone for India’s maritime security! Speaking at the Tri Commissioning ceremony of INS Agray, INS Dunagiri and INS Sanshodhak in Kolkata. @indiannavy https://t.co/obmbDiY4T0
આ પણ વાંચો
જાણો ત્રણેય સ્વદેશી જહાજોની ખાસિયતો અને ઘાતક ક્ષમતાઓ:
સ્ટીલ્થ ફ્રિગેટ 'દુનાગિરી': નૌકાદળે આ યુદ્ધ જહાજને એક શક્તિશાળી, અદ્યતન અને અત્યંત ઘાતક હથિયાર ગણાવ્યું છે. સ્વદેશી સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ આ જહાજ દુશ્મનના રડારને થાપ આપવામાં સક્ષમ છે. તે લાંબા સમય સુધી સમુદ્રમાં સતત ઓપરેશન કરવા માટે રચાયેલ છે. આ જહાજ બ્રહ્મોસ સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી મિસાઇલો અને મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી અદ્યતન મિસાઇલ સિસ્ટમ જેવા અત્યાધુનિક શસ્ત્રો અને સેન્સર્સથી સજ્જ છે.
A New Chapter Begins with the commissioning of powerful symbols of Maritime Strength.
Designed, built and integrated in India, Dunagiri, Agray, and Sanshodhak, showcase the power of #AatmanirbharBharat.
From Kolkata to the Indian Ocean, India sails forward with confidence.… pic.twitter.com/B03RXWkTIw
સર્વે વેસલ 'સંશોધક': આ ચોથું મોટું સર્વેક્ષણ જહાજ છે, જે દરિયાકાંઠાના વિસ્તારોની સાથે-સાથે ઊંડા પાણીમાં પણ હાઇડ્રોગ્રાફિક સર્વે કરવા માટે ખાસ ડિઝાઈન કરાયું છે. તે સંરક્ષણ અને નાગરિક બંને ક્ષેત્રોના ઉપયોગ માટે સમુદ્રી અને ભૂ-ભૌતિક ડેટા એકત્રિત કરશે. તેના કમાન્ડને મજબૂત કરવા માટે તેમાં સ્વાયત્ત પાણીની અંદરના વાહનો (AUVs) અને દૂરસ્થ સંચાલિત વાહનો (ROVs) સહિતની અદ્યતન સર્વે સિસ્ટમ લગાવવામાં આવી છે.
એન્ટિ-સબમરીન ક્રાફ્ટ 'આગ્રે': આ ચોથું અર્નાલા-ક્લાસ એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ છે. તે છીછરા (ઓછા ઊંડા) પાણીમાં છુપાયેલી દુશ્મનની સબમરીન જેવા જોખમોને શોધવા અને તેનો નાશ કરવા માટે સક્ષમ છે. આ ક્રાફ્ટ હળવા વજનના ટોર્પિડો, સ્વદેશી રોકેટ લોન્ચર અને હાઈટેક છીછરા પાણીની સોનાર સિસ્ટમથી સજ્જ છે.
#WATCH | Kolkata, West Bengal: Prime Minister Narendra Modi says, "These three ships also symbolise three important resolutions of India. They were built in India, designed in India. They are the result of the talent of Indian industries, the skill of Indian engineers, and the… https://t.co/JJlkxUovpb pic.twitter.com/PqTZvyToEo
હવે ભારત માત્ર ખરીદદાર દેશ બનીને નહીં રહે: પીએમ મોદી
આ કમિશનિંગ સમારોહને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની વધતી જતી સૈન્ય અને આર્થિક શક્તિ પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "આજે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં ફક્ત ખરીદદાર દેશ બનીને રહેવા માંગતું નથી. આપણી લશ્કરી તાકાત માત્ર વૈશ્વિક બજાર ન હોઈ શકે; આપણી અસલી તાકાત આત્મનિર્ભરતામાં રહેલી છે." પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે, જે રાષ્ટ્ર પાસે મજબૂત દરિયાઈ શક્તિ હોય છે, તેનો આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ પણ વૈશ્વિક સ્તરે ઘણો મજબૂત હોય છે. થોડા વર્ષો પહેલા INS વિક્રાંતથી શરૂ થયેલી સફર આજે INS આગ્રે, INS દુનાગિરી અને INS સંશોધક સાથે નવી ગતિ પકડી ચૂકી છે. આ જહાજો ભારતીય ઉદ્યોગોની પ્રતિભા, ઇજનેરોની કુશળતા અને શ્રમિકોની મહેનતનું પરિણામ છે, જે 'નવા ભારત'ની સૌથી મોટી તાકાત છે.
આ ઐતિહાસિક કમિશનિંગ સમારોહ દરમિયાન પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આરએન રવિ, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી તેમજ ભારતીય નૌકાદળના વડા (Chief of Naval Staff) એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન સહિતના અનેક ઉચ્ચ સૈન્ય અધિકારીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
