Train Schedule Update: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેન સંચાલનની કાર્યક્ષમતા વધારવાના હેતુથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત ટ્રેન નંબર 04112 ગાંધીગ્રામ–પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફેરફાર આગામી 10 જૂન, 2026થી અમલી બનશે.
રેલવે વિભાગના સત્તાવાર નિવેદન મુજબ, મુસાફરોએ ખાસ કરીને ચાંદખેડા અને પાલનપુર સ્ટેશન પર ટ્રેનના આગમન અને પ્રસ્થાનના નવા સમયની નોંધ લેવી જરૂરી છે, જેથી કરીને મુસાફરી દરમિયાન કોઈ અગવડતા ન પડે.
ચાંદખેડા અને પાલનપુર સ્ટેશન પરનો નવો સમય
ટ્રેન નંબર 04112ના સમયમાં કરવામાં આવેલા ફેરફારોની વિગત નીચે મુજબ છે
| સ્ટેશનનું નામ | જૂનો સમય (આગમન/પ્રસ્થાન) | નવો સમય (આગમન/પ્રસ્થાન) |
| ચાંદખેડા | 17:58 / 18:00 | 17:50 / 17:52 |
| પાલનપુર | 20:40 / 20:42 | 20:23 / 20:25 |
