Gandhigram Prayagraj Special Train: ઉનાળાના વેકેશન અને તહેવારોની મોસમમાં રેલવે પ્રવાસીઓનો ઘસારો સતત વધી રહ્યો છે. પ્રવાસીઓની આ ભારે ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. ભાવનગર મંડળ હેઠળ ગાંધીગ્રામથી પ્રયાગરાજ જંક્શન વચ્ચે ખાસ ભાડા સાથે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આપેલી સત્તાવાર માહિતી અનુસાર, આ વધારાની રેલ સેવા આગામી 31 મે થી શરૂ થઈને જુલાઈ મહિનાના મધ્ય સુધી ચાલુ રહેશે.
ટ્રેનનું શેડ્યૂલ અને ટાઈમ ટેબલ
મુસાફરોની સગવડતા માટે આ ટ્રેન બંને દિશામાંથી અઠવાડિયામાં બે દિવસ દોડશે. જેની વિગત નીચે મુજબ છે:
- ટ્રેન નંબર 04112 (ગાંધીગ્રામથી પ્રયાગરાજ): આ ટ્રેન 31 મે, 2026 થી 15 જુલાઈ, 2026 સુધી દર રવિવાર અને બુધવારે ગાંધીગ્રામ સ્ટેશનેથી સાંજે 17:20 કલાકે ઊપડશે અને તેના બીજા દિવસે રાત્રે 20:00 કલાકે પ્રયાગરાજ જંક્શન પહોંચશે.
- ટ્રેન નંબર 04111 (પ્રયાગરાજથી ગાંધીગ્રામ): વળતી દિશામાં આ ટ્રેન 30 મે, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી દર શનિવાર અને મંગળવારે પ્રયાગરાજ જંક્શનથી સાંજે 16:15 કલાકે રવાના થશે અને બીજા દિવસે બપોરે 15:30 કલાકે ગાંધીગ્રામ પરત ફરશે.
કયા-કયા સ્ટેશનો પર મળશે સ્ટોપેજ?
ગાંધીગ્રામ અને પ્રયાગરાજ વચ્ચેની આ મુસાફરી દરમિયાન ટ્રેનને ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે. આ ટ્રેન બંને તરફની મુસાફરીમાં નીચેના સ્ટેશનો પર રોકાશે.
ચાંદખેડા રોડ, મહેસાણા જંક્શન, પાલનપુર જંક્શન, આબુ રોડ, સુમેરપુર જવાઈ બાંધ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર જંક્શન, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ, ટૂંડલા જંક્શન, ઇટાવા જંક્શન, ગોવિંદપુરી અને ફતેહપુર.
કોચની વ્યવસ્થા
આ સ્પેશિયલ ટ્રેનમાં તમામ વર્ગના મુસાફરોની સુવિધાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. ટ્રેનમાં મુસાફરી કરવા માટે નીચે મુજબના કોચ ઉપલબ્ધ રહેશે:
- થર્ડ એસી
- સ્લીપર કોચ
- સેકન્ડ ક્લાસ
ટિકિટ બુકિંગ ક્યારથી શરૂ થશે?
જો તમે પણ આ રૂટ પર મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ટ્રેન નંબર 04112 માટેનું એડવાન્સ ટિકિટ બુકિંગ 30 મે, 2026 (શનિવાર) થી તમામ રેલવે આરક્ષણ કેન્દ્રો અને IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થઈ જશે.
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે ટ્રેનના ચોક્કસ સમય, સ્ટોપેજ અને અન્ય વિગતવાર માહિતી માટે રેલવેની સત્તાવાર પૂછપરછ વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.
પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીગ્રામથી પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ છે. જાણો ટ્રેનનો સમય, રૂટ, સ્ટોપેજ અને બુકિંગની વિગતો.
