Loading...

Rajkot: મહાશિવરાત્રી મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે ST વિભાગનો એક્શન પ્લાન; એકસ્ટ્રા બસો દોડશે, યાત્રિકો માટે હેલ્પ ડેસ્ક મુકાશે

જૂનાગઢથી પરત આવવા માટે પણ ભવનાથ તળેટી અને જૂનાગઢ ડેપોથી રાજકોટ માટે સતત બસો ઉપલબ્ધ રહેશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 05 Feb 2026 11:33 AM (IST)Updated: Thu 05 Feb 2026 11:34 AM (IST)
gujarat-st-extra-buses-for-devotees-coming-to-junagadh-mahashivratri-mela-2026-686120
HIGHLIGHTS
  • મહાશિવરાત્રી મેળાને લઈને એસટી નિગમ દ્વારા ખાસ આયોજન
  • રાજકોટ સહિત આસપાસના 9 ડેપોમાંથી 30 ST બસો દોડાવાશે
  • ભવનાથ તળેટી અને જૂનાગઢ ડેપોથી સતત બસો ઉપલબ્ધ રહેશે

Junagadh Mahashivratri mela: મિની કુંભ તરીકે ઓળખાતા જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. યાત્રિકોને આવવા-જવામાં અગવડ ન પડે તે માટે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહાશિવરાત્રીના મેળામાં જવા રાજકોટ સહિત આસપાસના 9 ડેપોમાંથી 30 ST બસો દોડાવાશે.

ST નિગમ દ્વારા ખાસ એક્શન પ્લાન

આગામી 11 ફેબ્રુઆરીથી જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રી મેળો યોજાશે. પાંચ દિવસ ચાલનારા આ વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે. આ પાવન પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓને જૂનાગઢ જવા અને આવવા માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

રાજકોટ સહિત 9 ડેપોથી ખાસ બસ સેવા

રાજકોટ ST ડિવિઝન દ્વારા મહાશિવરાત્રીના મેળા માટે ખાસ 30 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરો માટે આ સુવિધા રાજકોટના મુખ્ય બસ સ્ટેન્ડ સહિત જિલ્લાના કુલ 9 ડેપો પરથી ઉપલબ્ધ થશે. જેમાં રાજકોટથી 10, વાંકાનેરથી 3 અને ગોંડલથી 8 બસની ફાળવણી કરવામાં આવી છે. જૂનાગઢથી પરત આવવા માટે પણ ભવનાથ તળેટી અને જૂનાગઢ ડેપોથી રાજકોટ માટે સતત બસો ઉપલબ્ધ રહેશે.

કયા ડેપો પરથી કેટલી બસ મળશે!

દરેક ડેપો પર હેલ્પ ડેસ્ક, 'રાઉન્ડ ધ ક્લોક' બસ દોડશે

મહાશિવરાત્રીના મેળામાં રાજકોટથી જૂનાગઢ જતા મુસાફરોની સંખ્યા વધશે, તો ઓન-ધ-સ્પોટ વધુ બસોની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મુસાફરોને બસના રૂટ અને સમયની જાણકારી મળી રહે તે માટે દરેક ડેપો પર ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. રાત્રિના સમયે પણ મુસાફરોને પરિવહન મળી રહે તે માટે 'રાઉન્ડ ધ ક્લોક' બસો દોડાવવાનું આયોજન છે.

ખાનગી વાહનોના ભાડા થયા ત્રણ ગણા

સામાન્ય રીતે મહાશિવરાત્રી મેળાના સમય દરમિયાન ખાનગી વાહનચાલકો ડબલ-ત્રણ ગણા ભાડા વસૂલતા હોય છે. બીજી તરફ આ દિવસો દરમિયાન ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ રહે છે. ત્યારે ગુજરાત એસ.ટી. નિગમ એકસ્ટ્રા બસો દોડાવશે, જેથી શ્રદ્ધાળુઓ સસ્તા દરે પરિવહન સુવિધા મળી રહે. મધ્યમવર્ગના મુસાફરો માટે ગુજરાત ST નિગમની આ વધારાની સર્વિસ શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. 

ડેપો બસ
રાજકોટ10
વાંકાનેર3
લીંમડી2
સુરેન્દ્રનગર2
ચોટીલા1
મોરબી2
ગોંડલ9
જસદણ2
કુલ30