Loading...

Narmada: નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં શબ વાહિની પૂરી પાડવામાં આવે, સંકલન સમિતીની બેઠકમાં AAP MLAની માંગ

સંકલન સમિતિમાં આદિજાતિ છાત્રાલય, રસ્તા અને બ્રિજ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. ચૈતર વસાવાની ડેડિયાપાડામાં અટકાવાયેલા રોડ કામ ફરી શરૂ કરવાની માંગ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 18 Jan 2026 12:02 AM (IST)Updated: Sun 18 Jan 2026 12:02 AM (IST)
narmada-news-shab-vahini-provided-in-all-the-talukas-aap-mla-chaitar-vasava-demand-675825
HIGHLIGHTS
  • આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા સેવાસદનમાં ઉપસ્થિત રહ્યા

Narmada: આજે નર્મદા જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા સેવા સદન રાજપીપળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન નર્મદા જિલ્લાના લોકોની વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક બાદ મિડિયા સમક્ષ વાત કરતાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે બેઠકમાં નર્મદા જિલ્લામાં આવેલા આદિજાતિ સંચાલિત છાત્રાલયોમાં ફૂડ બિલ, વિદ્યાર્થીઓના ભણતર અને રહેવાની વ્યવસ્થાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વન વિભાગ દ્વારા ડેડિયાપાડા વિસ્તારમાં ચાલી રહેલા ડામરના રોડના કામ અટકાવવામાં આવ્યા છે, તે કામ તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.

ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના લોકોના હિતમાં વહીવટી તંત્ર અને પદાધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલન થકી કામકાજ આગળ વધે તે જરૂરી છે. બેઠકમાં નેશનલ હાઇવે પર આવેલા કેટલાક બ્રિજ બંધ હોવાના મુદ્દે ચર્ચા કરી તેને વહેલી તકે શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લાનાં તમામ તાલુકામાં શબવાહિની પૂરી પાડવામાં આવે, કરજણ ડેમનાં વિસ્તાપિત, નર્મદા ડેમનાં છ જેટલા અસરગ્રસ્ત ગામોને વળતરથી વંચિત રાખવામાં આવ્યા છે, તેઓને તેમની જમીન મળે તે દિશામાં ચર્ચા કરવામાં આવી છે.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, વન અધિકાર અધિનિયમ અંતર્ગત નર્મદા જિલ્લામાં કુલ 5,360 દાવાઓ પેન્ડિંગ પડ્યા હોવાનું જણાવી આ બાબતે વિશેષ કમિટીની બેઠક બોલાવવાની માંગ પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત એટીવીટી (ATVT)ની બેઠક દરમિયાન જે સભ્યને લઈને વિવાદ થયો હતો, તે સભ્યની બદલી કરવામાં આવે તેવી માંગ પણ રજૂ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગમાં ભરતી પ્રક્રિયામાં રહેલી ઘટ, તેમજ શાળાઓમાં ઓરડાની અછત સહિતના મુદ્દાઓના નિવારણ માટે પણ રજૂઆત કરવામાં આવી હતી અને આ તમામ બાબતોનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું હતું.