Mehasana News: સુપ્રસિધ્ધ બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનાં મેળામાં માતાના દર્શન કરવા માઈભક્તોનો મહાસાગર ઉમટી પડે છે. ત્યારે ત્રિદિવસીય લોકમેળામાં શ્રદ્ધાળુઓનો સારુ ભોજન મળી રહે અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને મહેસાણા જિલ્લા ફૂડ અધિકારીઓની ટીમે બહુચરાજી યાત્રાધામ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
57 પેઢીઓ પર ચેકિંગ કરાયું
યાત્રાધામ બહુચરાજી ખાતે ધમધમતા ખાણીપીણી બજારમાં મીઠાઈ, ફરસાણ, મિલ્ક પ્રોડક્ટ, ખાદ્યતેલ, નાસ્તા, હોટલો, મંદિરના ભોજનાલયમાં, હંગામી ફૂડ સ્ટોલ સહિતની કુલ 57 પેઢીઓ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
10 પેઢીઓમાં અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો
કુલ 27 ખાદ્યપદાર્થોના સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાયા હોવાનું જિલ્લા ફૂડ અધિકારીએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ,બેચરાજીની બજારમાં 10 પેઢીઓમાં પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાતી ખાદ્યસામગ્રીઓનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે.
| દુકાનનું નામ | નાશ કરેલો જથ્થો |
| મેલડી કૃપા નાસ્તા હાઉસ એન્ડ ટી સ્ટોલ | બળેલું તેલ-3 લીટર, મિક્સ ભજીયા-3 કિલોગ્રામ |
| સંતોષ પાંઉભાજી-ભેળ પકોડી સેન્ટર | પાણીપુરીનો મસાલો-500 ગ્રામ, લાલ ચટણી-2 કિલોગ્રામ |
| બજરંગ શેરડી રસ | કેરી રસ- 5 કિલોગ્રામ. |
| કુળદેવી ખમણ હાઉસ | મોતીચુર લાડુ-2 કિલોગ્રામ , કઢી-દોઢ લીટર, જલેબી-1 કિગ્રા. |
| બહુચર નાસ્તા હાઉસ | ગોટા- 1 કિલોગ્રામ |
| મા ઉમિયા ખોડલ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ | બટાકા- અઢી કિલો |
| જય અંબે પકોડી સેન્ટર | અખાદ્ય ચટણી લીલી- 1 લીટર |
| જનતા નાસ્તા એન્ડ જ્યુસ સેન્ટર | સમોસા-12 નંગ (છાપામાં રાખેલાં) |
| સરસ્વતી પાણીપુરી સેન્ટર | કલરવાળું પાણી-25 લીટર |
| આલુ પરાઠા સેન્ટર | બટાકા- 2 કિગ્રા |
