Ban 500 Notes Fact Check: સોશિયલ મીડિયા પર એક એવા અહેવાલો વાયરલ થઈ રહ્યા છે કે ભારત સરકાર કાળા નાણાં પર રોક લગાવવા માટે 500 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકવાની છે. પીએમ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણની તસવીરો સાથેની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં લખ્યું હતું કે સરકાર 500 રૂપિયાની નોટ બંધ કરવાની તૈયારી કરી રહી છે. આ પોસ્ટને જોઈને ઈન્ટરનેટ યુઝર્સ મુંઝવણમાં મુકાઈ ગયા હતા.
PIB ફેક્ટ ચેક દ્વારા સત્યનો ખુલાસો
પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (PIB) ના ફેક્ટ ચેક યુનિટ દ્વારા આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને આ માહિતી ખોટી છે. આ ફેક્ટ ચેકને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં વાયરલ થયેલા બનાવટી ગ્રાફિક પર 'ફેક' (Fake) નો સ્ટેમ્પ લગાવવામાં આવ્યો છે.
A claim is being made in a social media post that the Government of India plans to ban ₹500 notes.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) January 18, 2026
❌ This claim is #FAKE
✅ No such announcement has been made by the Central Government.
🔎 For authentic information related to financial policies and decisions,… pic.twitter.com/kOvEZ3BjVH
આ ઘટના દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી કેટલી ઝડપથી ફેલાઈ શકે છે, જેનાથી સામાન્ય જનતામાં ભ્રમ અને અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ શકે છે. પીઆઈબીએ લોકોને અપીલ કરી છે કે નાણાકીય નીતિઓ સંબંધિત કોઈપણ માહિતી માત્ર સત્તાવાર સ્ત્રોતોમાંથી જ પ્રાપ્ત કરવી જોઈએ.
સરકાર દ્વારા ચેતવણી
સરકારે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે ચલણી નીતિઓ માત્ર આરબીઆઈ (RBI) અને નાણા મંત્રાલયના માધ્યમથી જ જાહેર કરવામાં આવે છે. લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પીઆઈબી, આરબીઆઈની વેબસાઇટ અથવા સરકારી એપ્સ પરથી જ સાચી માહિતી મેળવે. ખોટા સમાચારો સામેની લડાઈમાં જનતાની પણ એટલી જ જવાબદારી છે કે તેઓ કોઈપણ માહિતી શેર કરતા પહેલા તે કેટલી સાચી છે તેની તપાસ કરે.
