દિવસના મધ્યે આંખો બંધ થવા લાગે? તમે એકલા નથી! ઘણાને ઓફિસ કામ કરતા સમયે નિંદર આવે છે, તો ચાલો જાણીએ કેવી રીતે નંદર સામે લડી શકાય.
એક કપ કોફી કે ચા તરત જ ચેતનાવસ્થા આપે છે. પણ વધારે ન પીવું નહીં તો પછી થાક વધુ લાગે.
ડેસ્ક પરથી ઊઠીને 5-10 મિનિટ ચાલો. બ્લડ સર્ક્યુલેશન વધે, અને દિમાગ તરોતાજા બને.
ડિહાઇડ્રેશન પણ થાકનું કારણ બને છે. પાણીનો ગ્લાસ હાથમાં રાખો, દર કલાકે થોડું પીતા રહો.
ઘેરી લાઇટ કે બંધ રૂમ પણ નિંદર લાવે છે. કુદરતી પ્રકાશ કે ફ્રેશ હવા લો, તેનાથી એનર્જી લેવલ વધી જાય.
સરળ કામ કરતા થાક લાગે છે? કંઈ નવું કરો, ટીમ સાથે ચર્ચા કરો કે નાની પઝલ સોલ્વ કરો.
ફળ, દહીં કે નટ્સ ખાવ તેનાથી એનર્જી પણ મળશે અને મગજ પણ તાજું રહેશે.
રાત્રે 7–8 કલાકની ઊંઘ લો. જો ઊંઘ પૂરી નહિ થાય, તો દિવસમાં કેટલું પણ કરો ,નિંદર તો આવશે જ.
અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.