7 નવેમ્બર 1875ના રોજ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયએ લખ્યું ‘વંદે માતરમ’. શરૂઆતમાં તે બંગદર્શન પત્રિકામા પ્રકાશિત થયું અને બાદમાં 1882માં તેમની પ્રસિદ્ધ નવલકથા આનંદમઠમાં સામેલ થયું.
રવીન્દ્રનાથ ટાગોર આ કવિતાને સંગીતમાં ઢાળી. 1896 ના કલકત્તા કોંગ્રેસ અધિવેશનમાં આ ગીત પહેલીવાર જાહેરમાં ગવાયું.
1905ના બંગાળ વિભાજનના વિરોધમાં “વંદે માતરમ” નારો બન્યો સ્વતંત્રતા સંગ્રામનો અવાજ. વિદ્યાર્થીઓએ પ્રતિબંધ હોવા છતાં આ ગીત ગાતા રહ્યા તે દેશભક્તિનું પ્રતીક બની ગયું.
ભીખાઈજી કામાએ લહેરાવેલ પ્રથમ ત્રિરંગા પર લખેલું હતું “વંદે માતરમ”. મદનલાલ ઢીંગરા સહિત અનેક ક્રાંતિકારીઓના અંતિમ શબ્દો પણ એ જ હતા “વંદે માતરમ”.
1950માં બંધારણ સભાએ “વંદે માતરમ”ને ભારતનું રાષ્ટ્રગીત જાહેર કર્યું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું “તેને જન ગણ મન જેટલું જ સન્માન અપાશે.”
2025 માં દેશભરમાં 150 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમથી શરૂઆત, ટપાલ ટિકિટ, સ્મારક સિક્કો, અને “વંદે માતરમ ધરતી માતાને સલામ” થીમ હેઠળ રાષ્ટ્રીય અભિયાન શરૂ થશે.
“વંદે માતરમ” આજે પણ દરેક ભારતીયના હૃદયમાં ગુંજે છે માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ, એકતા અને ગૌરવનું પ્રતીક બનીને.
અનવની માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.