Raksha Bandhan 2025: રક્ષાબંધનના દિવસે ભૂલથી પણ ના કરશો આ કામ


By Sanket M Parekh31, Jul 2025 03:59 PMgujaratijagran.com

રક્ષાબંધનનો પર્વ

હિન્દુ શાસ્ત્ર અનુસાર, રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને સન્માનને દર્શાવે છે. આ વર્ષે આ પર્વ 9 ઓગસ્ટે ઉજવવામાં આવશે. રક્ષાબંધનનું વિશેષ મહત્વ છે.

રક્ષાબંધનના દિવસે શું થાય?

રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે. આ દરમિયાન ભાઈ પોતાની બહેનને રક્ષાનું વચન આપે છે.

રક્ષાબંધનના દિવસે ના કરશો આ કામ

કેટલાક એવા કાર્યો છે, જે રક્ષાબંધનના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ. જેથી કોઈ અનહોની ના થાય. આ કાર્યો વિશે વિગતવાર જાણીએ

તામસિક ભોજન ન કરો

રક્ષાબંધનના દિવસે તમારે તામસિક ભોજન (નોન વેજ) કરવાથી બચવું જોઈએ. આ પર્વની પવિત્રતાને સમાપ્ત કરી શકે છે અને તેના કારણે ભાઈ-બહેનના સંબંધોમાં તિરાડ પડી શકે છે.

ભેટની લાલચ ના રાખવી

રક્ષાબંધનના દિવસે તમારે ક્યારેય ભેટની લાલચ ન કરવી જોઈએ કારણ કે આ દિવસે ભેટ આપવાની પરંપરા હોય છે. લાલચ રાખવાથી રક્ષાબંધનનો રંગ ઝાંખો પડી શકે છે.

ફરિયાદો ભૂલી જાઓ

રક્ષાબંધનના દિવસે જૂની લડાઈઓ, ભૂલો કે ફરિયાદોને ભૂલી જવી જોઈએ. જૂની વાતો વાગોળવાથી સંબંધોમાં ફરીથી તિરાડ પડી શકે છે. નવી શરૂઆત કરવી વધુ સારું રહેશે.

પર્વને પ્રામાણિક્તાથી નિભાવો

ભાઈ-બહેનનો સંબંધ અનમોલ હોય છે. આ વાત હંમેશા યાદ રાખો. આથી તમારે રક્ષાબંધનના પર્વને હળવાશથી ન લેવો જોઈએ. આ પર્વને પૂરી ઈમાનદારીથી નિભાવવાનું નામ છે.

ભેદભાવ ન કરો

રક્ષાબંધનના દિવસે માતા-પિતા કે વડીલોએ બાળકો સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ભૂલથી પણ ન કરવો જોઈએ. તમારે બધા સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ.

Panchmukhi Rudraksha: શ્રાવણમાં પંચમુખી રુદ્રાક્ષ પહેરવાના ફાયદા