ઊંઘમાં ચાલવું માત્ર એક વિચિત્ર આદત જ નથી, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે એક ગંભીર ચેતવણી પણ હોઈ શકે છે. તો ચાલો ઊંઘમાં ચાલવા સાથે સંકળાયેલી સંભાવિત સમસ્યાઓ પર એક નજર નાંખીએ...
ઊંઘમાં ચાલવું અને બેચેની હૃદયના ધબકારા (Heart Rate) અને બ્લડ પ્રેશરને અસર કરી શકે છે. આ હૃદય સંબંધિત બિમારીઓનો પ્રારંભિક સંકેત પણ હોઈ શકે છે.
સતત ઓછી ઊંઘ લેવાથી મગજ અને શરીર અસ્થિર બની જાય છે. આનાથી ઊંઘમાં ચાલવાની અને રાત્રે અચાનક ઉઠી જવાની આદત પડી શકે છે.
તણાવ, ચિંતા, ડિપ્રેશન અને PTSD જેવા માનસિક રોગો ઊંઘમાં ચાલવાની વૃત્તિને વધારી શકે છે. સંગીત, ધ્યાન અને થેરાપી દ્વારા આમાં મદદ મળી શકે છે.
પાર્કિન્સન્સ, ભૂલવાની બીમારી અથવા અન્ય ન્યુરોલોજીકલ સમસ્યાઓ ધરાવતા લોકોમાં ઊંઘમાં ચાલવાની આદત વધુ જોવા મળે છે. આ મગજમાં ન્યુરોન્સના અસંતુલનનો સંકેત હોઈ શકે છે.
ઊંઘમાં ચાલવું એ ઘણીવાર ઊંઘની ઊંડી અવસ્થામાં થતા વિકારનો સંકેત હોઈ શકે છે. જેના પરિણામે રાતભર ઊંઘ પૂરી થતી નથી અને દિવસ દરમિયાન થાક રહે છે
હોર્મોનલ અસંતુલન અથવા થાઇરોઇડની સમસ્યા પણ ઊંઘમાં ચાલવાનું કારણ બની શકે છે. રાત્રે બેચેની અને અનિયમિત ઊંઘ તેના સંકેતો છે.
કેટલીક દવાઓ, આલ્કોહોલ (શરાબ) અથવા માદક પદાર્થોનું સેવન ઊંઘની પેટર્નને બદલી શકે છે. ઊંઘમાં ચાલવું એ તેમની આડઅસર તરીકે પણ જોવામાં આવે છે. જો યોગ્ય કાળજી લેવામાં આવે, તો આવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે