Shradh 2025 Rules: શું સ્ત્રીઓ પણ પિંડદાન કરી શકે છે?


By Dimpal Goyal09, Sep 2025 12:01 PMgujaratijagran.com

પિંડદાન

સામાન્ય રીતે, આ વિધિઓ પુરુષો દ્વારા જ કરવામાં આવે છે. પરંતુ, ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું મહિલાઓ પણ શ્રાદ્ધ અને પિંડદાન કરી શકે છે?

પિંડદાનનું વિશેષ મહત્ત્વ

હિન્દુ ધર્મમાં પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને પિંડદાનનું વિશેષ મહત્ત્વ છે. ભાદરવા મહિનાની પૂનમથી લઈને આસો મહિનાની અમાસ સુધી ચાલતા શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે.

શ્રાદ્ધ કરવાથી શું થાય છે?

શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ, લાંબુ આયુષ્ય તથા સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપે છે.

શું મહિલાઓ પિંડદાન કરી શકે છે?

ધાર્મિક ગ્રંથો અને ગરુડ પુરાણ અનુસાર, જો કોઈ પરિવારમાં પુત્ર ન હોય તો મહિલાઓ શ્રાદ્ધ કર્મ અને પિંડદાન કરી શકે છે.

પિંડદાન કરતી વખતે મહિલાઓએ શું ધ્યાન રાખવું?

પિંડદાન કરતી વખતે આગળ બતાવેલ બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જરુરી છે.

વસ્ત્ર

શ્રાદ્ધ કરતી વખતે મહિલાઓએ સફેદ અથવા પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ.

પાણી

મહિલાઓ તર્પણ કરતી વખતે કુશ, પાણી અને કાળા તલનો ઉપયોગ કરી શકતી નથી.

વિવાહિત સ્ત્રીઓ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, માત્ર વિવાહિત સ્ત્રીઓ જ શ્રાદ્ધ કરી શકે છે.

વાંચતા રહો

આવી વધુ રસપ્રદ માહિતી જાણવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Shraddh 2025: પિતૃપક્ષમાં આ વૃક્ષ વાવવાથી જીવનમાં આવે છે સમૃદ્ધિ