સામાન્ય રીતે, આ વિધિઓ પુરુષો દ્વારા જ કરવામાં આવે છે. પરંતુ, ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું મહિલાઓ પણ શ્રાદ્ધ અને પિંડદાન કરી શકે છે?
હિન્દુ ધર્મમાં પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને પિંડદાનનું વિશેષ મહત્ત્વ છે. ભાદરવા મહિનાની પૂનમથી લઈને આસો મહિનાની અમાસ સુધી ચાલતા શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે.
શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ, લાંબુ આયુષ્ય તથા સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપે છે.
ધાર્મિક ગ્રંથો અને ગરુડ પુરાણ અનુસાર, જો કોઈ પરિવારમાં પુત્ર ન હોય તો મહિલાઓ શ્રાદ્ધ કર્મ અને પિંડદાન કરી શકે છે.
પિંડદાન કરતી વખતે આગળ બતાવેલ બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જરુરી છે.
શ્રાદ્ધ કરતી વખતે મહિલાઓએ સફેદ અથવા પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ.
મહિલાઓ તર્પણ કરતી વખતે કુશ, પાણી અને કાળા તલનો ઉપયોગ કરી શકતી નથી.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, માત્ર વિવાહિત સ્ત્રીઓ જ શ્રાદ્ધ કરી શકે છે.
આવી વધુ રસપ્રદ માહિતી જાણવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.