Pitru Paksha 2025: આજે પ્રતિપદા તિથિનું પ્રથમ શ્રાદ્ધ


By Dimpal Goyal08, Sep 2025 03:25 PMgujaratijagran.com

શ્રાદ્ધ

હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતા પિતૃ પક્ષનો પ્રારંભ આજે એટલે કે 7 સપ્ટેમ્બર, 2025 થી થયો છે.

પ્રથમ શ્રાદ્ધ

આજે, પ્રતિપદા તિથિનું પ્રથમ શ્રાદ્ધ છે, જે તે લોકો માટે કરવામાં આવે છે જેઓ કોઈપણ મહિનાના શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિએ મૃત્યુ પામ્યા હોય.

પ્રથમ દિવસે કોનું શ્રાદ્ધ કરાય

આ શ્રાદ્ધને 'પડ્વ શ્રાદ્ધ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે માતા-પિતાનું શ્રાદ્ધ કરવું પણ શુભ મનાય છે, ખાસ કરીને જો તેમની મૃત્યુ તિથિ જ્ઞાત ન હોય.

પિંડદાન કરવું

પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોનું શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી તેમની આત્માઓને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

શ્રાદ્ધ કયા સુધી ચાલે

ભાદરવા મહિનાની પૂનમથી લઈને આસો મહિનાની અમાસ સુધી ચાલતા શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે.

મહિલાઓ પણ કરી શકે છે પિંડદાન

ધાર્મિક ગ્રંથો અને ગરુડ પુરાણ અનુસાર, જો કોઈ પરિવારમાં પુત્ર ન હોય તો મહિલાઓ શ્રાદ્ધ કર્મ અને પિંડદાન કરી શકે છે.

શ્રાદ્ધનું મહત્વ

ધાર્મિક માન્યતા અનુસાર, શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વંશજોને લાંબા આયુષ્ય, સ્વાસ્થ્ય, સંપત્તિ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે.

વાંચતા રહો

ધર્મ સંબધિત સ્ટોરી વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Shradh 2025: શ્રાદ્ધ અને પિંડદાન માટે પ્રખ્યાત છે ભારતના આ સ્થળો