પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરુ થયો છે અને 21 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન અમુક ખોરાક ખાવાથી પિતૃઓ નારાજ થઈ શકે છે.
હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે. આ સમયગાળા દરમિયાન સ્નાન, દાન અને પિતૃઓની પૂજા કરવામાં આવે છે.
પિતૃ પક્ષ દરમિયાન શક્કરિયા, મૂળા, ગાજર, સલગમ, બીટ જેવી જમીનની અંદર ઉગતી શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ.
આ સમયમાં લસણ અને ડુંગળી ખાવાની મનાઈ છે. પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે ફક્ત સાત્વિક ભોજન જ કરવું જોઈએ.
પિતૃ પક્ષમાં મસૂરની દાળ ખાવી અશુભ માનવામાં આવે છે.
એવી માન્યતા છે કે આ સમયગાળામાં ચણા અને ચણામાંથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
પિતૃ પક્ષ દરમિયાન કોઈપણ વસ્તુ કાચી ન ખાવી જોઈએ; ફક્ત રાંધેલું ભોજન જ કરવું જોઈએ. આ નિયમોનું પાલન ન કરવાથી જીવનમાં સમસ્યાઓ આવી શકે છે અને પિતૃઓ નારાજ થઈ શકે છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.