Navratri 2025: નવરાત્રી દરમિયાન કયા દિવસે કયા માતાની પૂજા કરવામાં આવે છે


By Dimpal Goyal14, Sep 2025 03:18 PMgujaratijagran.com

શારદીય નવરાત્રી

સનાતન ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે.

શારદીય નવરાત્રીની તારીખ

વૈદિક કેલેન્ડર મુજબ, આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 22 સપ્ટેમ્બરના રોજ સવારે 01:23 વાગ્યે શરૂ થશે. તે જ સમયે, આ તિથિ 23 સપ્ટેમ્બરના રોજ સવારે 02:55 વાગ્યે સમાપ્ત થશે.

પ્રથમ નોરતું

22 સપ્ટેમ્બર 2025- માતા શૈલપુત્રીની પૂજા

બીજુ નોરતું

23 સપ્ટેમ્બર 2025- માતા બ્રહ્મચારિણીની પૂજા

ત્રીજુ નોરતું

24 સપ્ટેમ્બર 2025- માતા ચંદ્રઘંટાનું પૂજન

ચોથું નોરતું

25 સપ્ટેમ્બર 2025- માતા ચંદ્રઘંટાનું પૂજન (આસો મહિનામાં ત્રીજ બે છે)

પાંચમું નોરતું

26 સપ્ટેમ્બર ૨૦૨૫- માતા કુષ્માંડાની પૂજા

છઠ્ઠુ નોરતું

27 સપ્ટેમ્બર ૨૦૨૫- માતા સ્કંદમાતાની પૂજા

સાતમું નોરતું

28 સપ્ટેમ્બર 2025- માતા કાત્યાયનીની પૂજા

આઠમું નોરતું

29 સપ્ટેમ્બર 2025- માતા કાલરાત્રીની પૂજા

નવમું નોરતું

30 સપ્ટેમ્બર 2025- માતા સિદ્ધિદાત્રીની પૂજા

દસમું નોરતું

01 ઓક્ટોબર ૨૦૨૫- માતા મહાગૌરીની પૂજા

વાંચતા રહો

ધર્મ સંબંધિત સ્ટોરી વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

શા માટે આ વસ્તુંઓને રસોડામાં ન રાખવી જોઈએ