IPL 2025 Closing Ceremony થી પાકિસ્તાનને મરચા લાગશે, BCCI એ કરી દીધી મોટી જાહેરાત

BCCI 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ના ક્લોઝિંગ સેરેમની દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોને ખાસ ટ્રિબ્યૂટ આપશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 27 May 2025 12:09 PM (IST)Updated: Tue, 27 May 2025 12:09 PM (IST)
bcci-to-pay-tribute-to-indian-armed-forces-during-ipl-2025-closing-ceremony

IPL 2025 Closing Ceremony: IPL 2025 હવે તેના અંતિમ તબક્કામાં છે, જ્યાં તેની ફાઇનલ મેચ 3 જૂને રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલ મેચ પહેલા સમાપન સમારોહ યોજાશે. બીસીસીઆઈએ આ અંગે એક મોટી જાહેરાત કરી છે, જેમાં 'ઓપરેશન સિંદૂર' ઉજવવામાં આવશે અને સશસ્ત્ર દળોને ટ્રિબ્યૂટ આપવામાં આવશે. બીસીસીઆઈના આ નિર્ણયથી દરેક ચાહકનું દિલ ખુશીથી ભરાઈ ગયું છે.

બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ પુષ્ટિ આપી કે સમાપન સમારોહ સંપૂર્ણપણે સશસ્ત્ર દળોને સમર્પિત રહેશે. 3 જૂનના રોજ સેના, નૌકાદળ, વાયુસેના અને સંરક્ષણ સ્ટાફના વડાઓને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

BCCI સશસ્ત્ર દળોને સલામ કરે છે

સ્પોર્ટ સ્ટાર સાથે વાત કરતા તેમણે કહ્યું કે, BCCI આપણા સશસ્ત્ર દળોની બહાદુરી, હિંમત અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરે છે, જેમના ઓપરેશન સિંદૂર હેઠળના બહાદુરી ભર્યા પ્રયાસો રાષ્ટ્રનું રક્ષણ અને પ્રેરણા આપતા રહે છે. ટ્રિબ્યૂટ તરીકે, અમે સમાપન સમારોહ સશસ્ત્ર દળોને સમર્પિત કરવાનું નક્કી કર્યું છે.

સેનાને ટ્રિબ્યૂટ આપવામાં આવી રહી છે

'ઓપરેશન સિંદૂર' પછી જ્યારથી IPL ફરી શરૂ થઈ છે, ત્યારથી ઘણી જગ્યાએ સેનાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. વાનખેડે સ્ટેડિયમમાં ચાહકોએ 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા અને સશસ્ત્ર દળોને આભાર સંદેશાઓ મોટા સ્ક્રીન પર વગાડવામાં આવ્યા. આ ઉપરાંત, ખેલાડીઓએ મેચ પહેલા રાષ્ટ્રગીત પણ ગાયું હતું.

આ પહેલીવાર નથી જ્યારે IPL એ સશસ્ત્ર દળોને સલામી આપી હોય. 2019 ની શરૂઆતમાં, પુલવામા હુમલા પછી, BCCI એ ઉદ્ઘાટન સમારોહમાં એક લશ્કરી બેન્ડનો સમાવેશ કર્યો હતો અને સશસ્ત્ર દળો માટે 20 કરોડ રૂપિયાનું દાનની જાહેરાત કરી હતી. ફાઇનલમાં એક લાખથી વધુ ચાહકો હાજર રહે તેવી અપેક્ષા છે, તેથી IPL 2025નો સમાપન સમારોહ ચોક્કસપણે ભાવનાત્મક ક્ષણ બનશે.