Remedies for Vasant Panchami: સનાતન ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ છે. આ દિવસને દેવી સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જ્ઞાન, કળા અને વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીની ઉપાસના કરવાથી વ્યક્તિના જીવનમાં અજ્ઞાનતાનો અંધકાર દૂર થાય છે અને પ્રગતિના નવા દ્વાર ખુલે છે. વર્ષ 2026 માં વસંત પંચમીનો ઉત્સવ 23 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે.
વસંત પંચમી 2026: શુભ મુહૂર્ત
વૈદિક પંચાંગ અનુસાર, માઘ માસની શુક્લ પક્ષની પંચમી તિથિની શરૂઆત 23 જાન્યુઆરીએ સવારે 2:28 વાગ્યે થશે અને તેનું સમાપન 24 જાન્યુઆરીએ સવારે 1:46 વાગ્યે થશે. ઉદયા તિથિ મુજબ, વસંત પંચમીની પૂજા 23 જાન્યુઆરીએ કરવી શ્રેષ્ઠ રહેશે.
કારકિર્દી અને જીવનમાં પરિવર્તન લાવતા ચમત્કારિક ઉપાયો
જો તમે તમારા વ્યવસાય કે નોકરીમાં લાંબા સમયથી અવરોધો અનુભવી રહ્યા હોવ, તો વસંત પંચમીનો દિવસ આ સમસ્યાઓના નિવારણ માટે સર્વોત્તમ છે.
ઇચ્છિત કારકિર્દી અને પ્રગતિ માટે
ઘણીવાર મહેનત કરવા છતાં યોગ્ય તક મળતી નથી. આ માટે વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કરી દેવી સરસ્વતીની પૂજા કરો. ત્યારબાદ જરૂરિયાતમંદ લોકોને પીળા વસ્ત્રો અને ભોજનનું દાન કરો. પીળો રંગ જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ ઉપાય કરવાથી કારકિર્દીમાં આવતા ગ્રહદોષ દૂર થાય છે અને સફળતાનો માર્ગ મોકળો થાય છે.
પરીક્ષામાં સફળતા અને એકાગ્રતા માટે
વિદ્યાર્થીઓ માટે આ દિવસ વરદાન સમાન છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અથવા પરીક્ષાના ડરથી પીડાય છે, તેમણે માતા સરસ્વતીને સફેદ ચંદન અર્પણ કરવું જોઈએ. પૂજા દરમિયાન "ૐ સરસ્વત્યૈ નમઃ" મંત્રનો જાપ કરવાથી બુદ્ધિ અને યાદશક્તિમાં વધારો થાય છે.
સુખી દામ્પત્ય જીવન માટે
માત્ર શિક્ષણ જ નહીં, પણ પારિવારિક સુખ માટે પણ આ દિવસ મહત્વનો છે. જો લગ્નજીવનમાં તણાવ હોય, તો દેવી સરસ્વતીને નાળિયેર, પીળી ચુંદડી અને રક્ષા સૂત્ર (નાડાછડી) અર્પણ કરો. આ ઉપાયથી પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં મધુરતા આવે છે અને પરસ્પર વિશ્વાસ વધે છે.
ધાર્મિક મહત્વ
માન્યતા છે કે આ દિવસે દેવી સરસ્વતીના આશીર્વાદ લેવાથી વાણીમાં મધુરતા આવે છે, જે કોઈપણ પ્રોફેશનલ ક્ષેત્રમાં સફળ થવા માટે અનિવાર્ય છે. વસંત પંચમીએ પીળા રંગના ચોખાનો ભોગ ધરાવવો અને કેસરી રંગના વસ્ત્રો ધારણ કરવા અત્યંત શુભ માનવામાં આવે છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
