Basant Panchami (Saraswati Puja) 2026 Muhurat: સનાતન ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ રહેલું છે. માઘ મહિનાના સુદ પક્ષની પાંચમના દિવસે ઉજવાતો આ તહેવાર જ્ઞાન, કળા અને સંગીતની દેવી મા સરસ્વતીને સમર્પિત છે. આ વર્ષે વસંત પંચમીનો પાવન અવસર 23 જાન્યુઆરી, 2026 ના રોજ છે. આ દિવસને અનેક જગ્યાએ 'શ્રી પંચમી' અથવા 'સરસ્વતી પૂજા' તરીકે પણ ઓળખવામાં આવે છે. માત્ર ઘરો અને મંદિરોમાં જ નહીં, પરંતુ શાળાઓ અને કોલેજોમાં પણ આ દિવસે વિદ્યાની દેવીની વિશેષ પૂજા કરવામાં આવે છે. અહીં જાણો વસંત પંચમીના શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ વિશેની સંપૂર્ણ માહિતી.
પૂજા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત (Basant Panchami 2026 Muhurat)
પંચાંગ અનુસાર, માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ 23 જાન્યુઆરીના રોજ સવારે 02:28 વાગ્યે શરૂ થશે અને 24 જાન્યુઆરીના રોજ રાત્રે 01:46 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિના નિયમ મુજબ વસંત પંચમી 23 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે.
- તારીખ: 23 જાન્યુઆરી, 2026 (શુક્રવાર)
- પૂજા મુહૂર્ત: સવારે 07:13 થી બપોરે 12:33 સુધી
- કુલ અવધિ: 5 કલાક 20 મિનિટ
- મધ્યાહન મુહૂર્ત: બપોરે 12:33
સરસ્વતી પૂજાની સરળ વિધિ
- વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરો. આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા અત્યંત શુભ માનવામાં આવે છે.
- એક સ્વચ્છ બાજોઠ પર પીળું વસ્ત્ર પાથરીને તેના પર મા સરસ્વતીની પ્રતિમા કે ફોટો સ્થાપિત કરો. સાથે કળશ સ્થાપના પણ કરો.
- કોઈપણ પૂજાની શરૂઆત ભગવાન ગણેશની આરાધનાથી કરો.
- ત્યારબાદ મા સરસ્વતીને સ્નાન કરાવો અને તેમને સફેદ વસ્ત્રો અર્પણ કરો (જો મૂર્તિ હોય તો), અથવા શૃંગાર કરો.
- દેવીને કુમકુમ, ગુલાલ અને ખાસ કરીને પીળા ફૂલો તેમજ હાર અર્પણ કરો.
- નૈવેદ્યમાં પીળા ચોખા (કેસરિયા ભાત), બુંદીના લાડુ, કેસરની ખીર અથવા હલવો અર્પણ કરવો શ્રેષ્ઠ ગણાય છે.
- અંતે ધૂપ-દીવો કરી, સરસ્વતી માતાની આરતી ઉતારો અને સૌને પ્રસાદ વહેંચો.
- ઘણા ભક્તો બીજા દિવસે મૂર્તિનું વિસર્જન પણ કરતા હોય છે.
શા માટે ઉજવાય છે વસંત પંચમી?
પૌરાણિક કથાઓ અનુસાર, સૃષ્ટિના સર્જનહાર ભગવાન બ્રહ્માજી જ્યારે ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમને બ્રહ્માંડમાં નિરવ શાંતિ લાગી. સૃષ્ટિમાં અવાજ અને ચેતના ભરવા માટે તેમણે પોતાના કમંડળમાંથી જળ છાંટ્યું. તેમાંથી એક તેજસ્વી દેવી પ્રગટ થયા, જેના હાથમાં વીણા હતી. બ્રહ્માજીએ તેમને 'સરસ્વતી' નામ આપ્યું. મા સરસ્વતીના પ્રાગટ્યને કારણે જ આ દિવસથી તેમની પૂજા કરવામાં આવે છે.
પીળા રંગનું મહત્વ
વસંત પંચમી એ વસંત ઋતુના આગમનનો સંકેત છે. આ સમયે ખેતરોમાં સરસવના પીળા ફૂલો લહેરાતા હોય છે. પીળો રંગ જ્ઞાન અને સાદગીનું પ્રતીક છે. તેથી જ આ દિવસે મા શારદાને પીળી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે અને લોકો પણ પીળા વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે.
Saraswati Dhyan Mantra: સરસ્વતી ધ્યાન મંત્ર
ॐ सरस्वती मया दृष्ट्वा, वीणा पुस्तक धारणीम् ।
हंस वाहिनी समायुक्ता मां विद्या दान करोतु में ॐ ।।
Saraswati Mata Mantra: सरस्वती माता मंत्र
ओउम या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता,
या वीणावरदण्डमण्डित करा या श्वेत पद्मासना ।
या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता,
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा।।
Basant Panchami 2026 Mantra: વસંત પંચમી મંત્ર
सरस्वती मूल मन्त्र
ॐ ऐं सरस्वत्यै नमः।
सरस्वती पुराणोक्त मन्त्र
या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
सरस्वती गायत्री मन्त्र
ॐ ऐं वाग्देव्यै विद्महे कामराजाय धीमहि।
तन्नो देवी प्रचोदयात्॥
Saraswati Vandana: સરસ્વતી વંદના
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥१॥
शुक्लां ब्रह्मविचार सार परमामाद्यां जगद्व्यापिनीं
वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्।
हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम्
वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्॥२॥
