Loading...

Mallikarjun Kharge Controversy: 'ગુજરાતના લોકો અભણ' મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી સર્જાયો ભારે વિવાદ, CM ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસને આપ્યો આકરો જવાબ

ભાજપે રવિવારે કેરળમાં યોજાયેલ ચૂંટણી સભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની આકરી ટીકા કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 05 Apr 2026 11:47 PM (IST)Updated: Sun 05 Apr 2026 11:48 PM (IST)
congress-president-mallikarjun-kharge-calls-people-of-gujarat-illiterate-in-kerala-rally-cm-bhupendra-patel-give-reply-722392

Kharge Controversy:કોંગ્રેસના દિગ્ગજ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં એક ચૂંટણી સભા સમયે એક નિવેદન આપીને રાજકીય વિવાદ સર્જ્યો છે. તેમણે ગુજરાતના લોકોને 'અશિક્ષિત' ગણાવી કહ્યું કે ત્યાના લોકોને નરેન્દ્ર મોદી સરળતાથી ગેરમાર્ગે દોરી શકે છે, પણ કેરળના લોકો 'વધારે સમજદાર અને શિક્ષિત' છે. માટે તેમને કોઈ ભ્રમિત કરી શકતા નથી.

ભાજપે રવિવારે કેરળમાં યોજાયેલ ચૂંટણી સભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની આકરી ટીકા કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખડગે કેરળ વિધાનસભા ચૂંટણી પ્રકાર અંતર્ગત ઈડુક્કી જિલ્લામાં યોજાયેલ એક જનસભાને સંબોધિત કરતાં ટિપ્પણી કરી હતી કે રાજ્યના લોકો 'શિક્ષિત અને ચતુર' છે અને તેમણે ગુજરાત તથા અન્ય સ્થાનોના લોકોથી વિપરીત ગેરમાર્ગે દોરી શકતા નથી.

કેરળના લોકોને ભ્રમિત ન કરશો. તે ખૂબ જ સમજદાર અને શિક્ષિત છે. મોદી જી, વિજય (મુખ્યમંત્રી પિનરાઈ વિજયન), તમે બન્ને ગુજરાત અથવા અન્ય જગ્યાના 'અશિક્ષિત'ને મુર્ખ બનાવી શકે છે. પણ કેરળના લોકોને મુર્ખ બનાવી શકે નહીં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી પ્રતિક્રિયા

દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના લોકો અંગે જે નિવેદન આપવામાં આવ્યું છે તે અત્યત વાંધાજનક અને કમનસીબ છે. આ પ્રકારની ટિપ્પણીથી 6 કરોડ ગુજરાતવાસીઓનું અપમાન છે તેમ જ મહાત્મા ગાંધી તથા સરદાર પટેલની પાવન ધરતીની ગરીમાને ઠેસ પહોંચાડે છે.

ગુજરાત હંમેશા રાષ્ટ્ર નિર્માણ, વિકાસ તથા એકતામાં અગ્રણી ભૂમિકા ભજવે છે અને આગામી સમયમાં પણ યોગદાન આપતું રહેશે. આ પ્રકારનું નિવેદન એ કોંગ્રેસના સંકુચિત વિચારને દર્શાવે છે.

આ પ્રકારની ટીપ્પણી સ્પષ્ટ દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસ રાજનીતિ તથા તેના વ્યાપક જનસમર્થનથી કોંગ્રેસ કેટલી અસહજ અને અસુરક્ષાનો અહેસાસ કરી રહ છે.

જગદીશ વિશ્વકર્માએ પણ આકરી ટીકા કરી
કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓ પ્રત્યેના બફાટ સામે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું કે તેમણે ગુજરાતમાં રહેતા લોકો ઉપરાંત દેશ વિદેશમાં રહેતા ગુજરાતી લોકોનું અપમાન છે. ગુજરાતની સાણી અને સમજુ જનતા છેલ્લા 27-27 વર્ષથી ગુજરાતની તિજોરી પર કોંગ્રેસનો કાળો પંજો પડવા દીધો નથી. તેમણે કોંગ્રેસને આ નિવેદનને લઈ માફી માંગવા કહ્યુ છે. કોંગ્રેસ માંફી નહીં માગો તો ગુજરાતની પ્રજા કરારો જવાબ આપશે.