Loading...

Bihar Politics: નીતીશ કુમારે MLC પદેથી આપ્યું રાજીનામું, હવે બિહારના મુખ્યમંત્રીની ખુરશી પર ભાજપનો દાવો!

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર 16 માર્ચના રોજ રાજ્યસભા માટે ચૂંટાયા હતા.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 30 Mar 2026 01:35 PM (IST)Updated: Mon 30 Mar 2026 01:35 PM (IST)
bihar-politics-nitish-kumar-resigned-mlc-bjp-cm-samrat-chaudhary-718199
HIGHLIGHTS
  • બિહાર રાજકારણમાં ગરમા-ગરમી શરૂ
  • નીતીશ કુમારનું MLC પદેથી રાજીનામું
  • હવે BJP ના મુખ્યમંત્રી બનવાનો અંદાજ

Nitish Kumar resigns from MLC: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યસભા માટે ચૂંટાયા હોવાથી વિધાન પરિષદના (MLC) પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ બિહારમાં મુખ્યમંત્રી પદ માટે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. એવો અંદાજ છે કે બિહારના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીને (BJP) મુખ્યમંત્રી પદ મળી શકે છે.

MLC પદથી નીતીશ કુમારનું રાજીનામું 

નીતીશ કુમારને 16 માર્ચના રોજ રાજ્યસભા માટે ચૂંટવામાં આવ્યા હતા. નિયમ અનુસાર 14 દિવસની અંદર તેમણે MLC પદેથી રાજીનામું આપવું જરૂરી હતું, જેની મુદત આજે પૂર્ણ થઈ રહી હતી. એવી સંભાવના છે કે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા બાદ તેઓ મુખ્યમંત્રી પદેથી પણ રાજીનામું આપી દેશે. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ 10 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યો છે.

વર્ષ 2005માં NDA ની પહેલી જીત બાદથી અત્યાર સુધી ભાજપ હંમેશા નંબર-2 ની ભૂમિકામાં રહ્યું છે, પરંતુ હવે નીતીશ કુમારના રાજીનામા સાથે તેને પ્રથમ વખત મુખ્ય ભૂમિકા (મુખ્યમંત્રી પદ) મળવાની સંભાવના છે. સોમવારથી નવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં સરકાર રચવાની ગતિવિધિ શરૂ થઈ જશે.

મુખ્યમંત્રી પદની રેસમાં કોણ છે આગળ?

સત્તાવાર રીતે ભાજપ કે JDU દ્વારા હજુ કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ બંને પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ સંકેત આપ્યા છે કે 75 વર્ષીય નીતીશ કુમારની જગ્યાએ કોઈ ભાજપનો ઉમેદવાર મુખ્યમંત્રી બનશે. જ્યારે બીજી તરફ, નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારને ડેપ્યુટી CM બનાવવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે.

ભાજપ તરફથી મુખ્યમંત્રી પદની રેસમાં હાલના ડેપ્યુટી CM અને ભાજપ ધારાસભ્ય દળના નેતા સમ્રાટ ચૌધરી સૌથી આગળ ચાલી રહ્યા છે. 2017 માં પાર્ટીમાં જોડાયા બાદ તેઓ ખૂબ જ ઝડપથી આગળ વધ્યા છે. આ ઉપરાંત, જ્ઞાતિ સમીકરણો પણ તેમના પક્ષમાં છે.

  • સમ્રાટ ચૌધરી કુશવાહ સમાજનો એક અગ્રણી ચહેરો છે.
  • બિહારમાં યાદવો (14.25% થી વધુ) બાદ કુશવાહ સમાજ 4.27% થી વધુ વસ્તી સાથે બીજા ક્રમે આવે છે.
  • અત્યાર સુધી યાદવ અને કુર્મી સમાજમાંથી મુખ્યમંત્રીઓ બની ચૂક્યા છે, તેથી આ વખતે કુશવાહ સમાજને આ મોટી તક મળી શકે છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની ચેતવણી, વધારે પડતી સુગર અને તેલનું સેવન કરવાથી બીમારીને આમંત્રણ મળી શકે છે

નિત્યાનંદ રાયનું નામ પણ ચર્ચામાં

બિહારના OBC-બહુલ રાજકારણમાં ભાજપના પીઢ નેતા તેમજ કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયનું કદ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યું છે. તેમને પણ મુખ્યમંત્રી પદના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. જોકે તેઓ યાદવ સમાજમાંથી આવે છે (જે સામાન્ય રીતે RJD નો વોટબેંક મનાય છે).

પરંતુ તેમના સમર્થકો માને છે કે તેમને મુખ્યમંત્રી બનાવવાથી ભાજપને આ વિશાળ વસ્તી ધરાવતી જ્ઞાતિ સાથે નવો તાલમેલ બેસાડવાની તક મળશે. ભાજપનું નેતૃત્વ મોટાભાગે આશ્ચર્યજનક અને લીકથી હટીને નિર્ણયો લેવા માટે જાણીતું છે, તેથી જ જ્યાં સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી આ અટકળો વધુ તેજ થવાની પૂરી સંભાવના છે.