Loading...

Unforeseen Incident: વડાપ્રધાન મોદીની સાથે સંસદમાં અણધારી ઘટના બની શકી હોત… સ્પીકર ઓમ બિરલાનું મહત્વનું નિવેદન

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ખુલાસો કર્યો કે તેમણે વડાપ્રધાન મોદીને ગૃહમાં હાજર ન રહેવાનો આગ્રહ કર્યો હતો.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Thu 05 Feb 2026 04:30 PM (IST)Updated: Thu 05 Feb 2026 04:30 PM (IST)
an-unforeseen-incident-could-have-happened-in-parliament-with-prime-minister-modi-important-statement-by-speaker-om-birla-686286
HIGHLIGHTS
  • દેશે ગઈકાલે શું થયું તે જોયું, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે પીએમને ગૃહમાં ન આવવાનો આગ્રહ કર્યોઃ ઓમ બિરલા
  • સ્પીકર ઓમ બિરલાએ પીએમ મોદીની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી

Unforeseen Incident: લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની ગેરહાજરી હવે એક મોટો રાજકીય મુદ્દો બની ગયો છે. ભાજપના સાંસદ મનોજ તિવારી અને કંગના રનૌત, લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મળીને આકરી ટીકા કરી છે અને ગંભીર આરોપો લગાવ્યા છે.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે- દેશે ગઈકાલે જોયું શું થયું તે, મેં પીએમને ન આવવાનો આગ્રહ કર્યો હતો. મહિલા સાંસદ ત્યાં સુધી પહોંચી ગઈ હતી, પરિસ્થિતિ જોઈને તેમણે પીએમને ન આવવાનો આગ્રહ કર્યો હતો, કારણ કે પીએમ સાથે કોઈ અણધારી ઘટના બની શકી હોત.

પીએમ મોદીનું ભાષણ રદ કરાયું હતું
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેના હજુ સુધી પ્રકાશિત ન થયેલા પુસ્તક પર સંસદમાં વિવાદ થતાં બુધવારે (4 ફેબ્રુઆરી) લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જવાબ રદ કરવામાં આવ્યો.

જ્યારે સાંજે 5 વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ, ત્યારે વિપક્ષી સભ્યો પોસ્ટરો અને પ્લેકાર્ડ સાથે ઉભા જોવા મળ્યા. જોકે, થોડીવારમાં જ ગૃહના અધ્યક્ષપદે રહેલા ભાજપના સાંસદ સંધ્યા રાયએ કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દીધી હતી.

બુધવારે સંસદમાં એક પુસ્તકને લઈને વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે ઘર્ષણ થયું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી નરવણેના પુસ્તકની નકલ સંસદ સંકુલમાં લાવ્યા, જ્યારે ભાજપના સાંસદ નિશિકાંત દુબે ગાંધી પરિવાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા અનેક પુસ્તકો લાવ્યા.

પોસ્ટર લઈને આવશો તે સંસદમાં નહીં ચાલે
સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ ગૃહની ગરિમાની વિરુદ્ધ છે.મારો આગ્રહ સ્વીકારવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો. ગૃહની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. ઓમ બિરલાએ વિપક્ષને કહ્યું કે જો તેઓ પોસ્ટર લાવશે તો તે સંસદમાં નહીં ચાલે.

સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે બુધવારે લોકસભામાં કેટલાક સભ્યોનું વર્તન અયોગ્ય હતું. સ્પીકરના કાર્યાલયમાં કેટલાક વિપક્ષી સભ્યોનું વર્તન કાળા ધબ્બા જેવું છે. આપણે બધાએ ગૃહની સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવામાં સહયોગ આપવો જોઈએ.

વડાપ્રધાન પર હુમલો કરવાની યોજના હતી- કંગના
હિમાચલ પ્રદેશના મંડીના લોકસભા સાંસદ કંગના રનૌતે આરોપ લગાવ્યો કે રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચાનો જવાબ આપતા પહેલા કોંગ્રેસના સાંસદોએ પીએમ મોદીનો રસ્તો સંપૂર્ણપણે રોકી દીધો હતો. વિપક્ષી સાંસદોએ લોકસભાના સ્પીકર પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો ઈરાદો સીધા વડાપ્રધાન પર હુમલો કરવાનો હતો. કંગનાએ કહ્યું- વિપક્ષી મહિલા સાંસદો તે જગ્યાએ ભેગા થયા હતા જ્યાં વડાપ્રધાન બેસે છે. આવા વાતાવરણમાં વડાપ્રધાનનું ભાષણ ન હોવું એ યોગ્ય નિર્ણય હતો.

મનોજ તિવારીએ શું કહ્યું ?
ભાજપના નેતા મનોજ તિવારીએ કહ્યું- તેઓએ (વિપક્ષે) તેમને સંપૂર્ણપણે ઘેરી લીધા હતા જેના કારણે વડાપ્રધાન આવ્યા ન હતા. વિપક્ષની લગભગ 7-8 મહિલા સાંસદો આગળ આવી અને વડાપ્રધાન જ્યાં બેસે છે અને જ્યાંથી આવે છે તેને સંપૂર્ણપણે ઘેરી લીધી. પછી વડા પ્રધાનને રોકાવું પડ્યું હશે.