Ajit Pawar Funeral, Baramati Plane Crash News Highlights: મહારાષ્ટ્રના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પાર્થિવ દેહના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. બુધવાર, 28 જાન્યુઆરીના રોજ બારામતીમાં થયેલી એક કમનસીબ વિમાન દુર્ઘટનામાં તેમનું નિધન થયું હતું, જેના પગલે સમગ્ર દેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Ajit Pawar Funeral: પુત્રોએ અજિત પવારની ચિતાને અગ્નિદાહ આપ્યો
પાર્થ પવાર અને જય પવારે સાથે મળીને તેમના પિતા અજિત પવારની ચિતાને અગ્નિદાહ આપ્યો. આ સાથે, બારામતીના રાજા તરીકે જાણીતા અજિત પવાર પંચતત્વમાં વિલીન થઈ ગયા.
Ajit Pawar Funeral: અલવિદા, અજિત 'દાદા'
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પાર્થિવ શરીર પર લપેટાયેલો રાષ્ટ્રધ્વજ, રાજકીય સન્માન સાથે તેમના પુત્ર જય પવારને અંતિમ સંસ્કાર પહેલાં સોંપવામાં આવ્યો.
Ajit Pawar Funeral: ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર શરૂ થશે
NCP-SCP નેતા સુપ્રિયા સુલેએ સુનેત્રા પવારને સાંત્વના આપી; મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કાર ટૂંક સમયમાં શરૂ થશે.
ભયાનક વિમાન દુર્ઘટનામાં 5 ના મોત
આ કરૂણ ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત વિમાનમાં સવાર તમામ 5 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ મહારાષ્ટ્રમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. આજે તેમના વતન બારામતી ખાતે તેમની અંતિમ યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો અને અગ્રણી નેતાઓ જોડાયા.
રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય
અજિત પવારને તેમની લાંબી રાજકીય સેવા બદલ સંપૂર્ણ રાજ્ય સન્માન (State Honours) આપવામાં આવ્યું. તેમના અંતિમ દર્શન માટે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડ ખાતે પાર્થિવ દેહને રાખવામાં આવ્યો, જ્યાં હજારોની સંખ્યામાં લોકો પોતાના નેતાને વિદાય આપવા ઉમટી પડ્યા.
