Kisan Parivahan Yojana 2026 Gujarat: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની સુવિધા માટે 'કિસાન પરિવહન યોજના' અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતો પોતાના પાકને ખેતરથી બજાર સુધી આસાનીથી અને ઓછા ખર્ચે પહોંચાડી શકે તે માટે માલવાહક વાહન ખરીદવામાં મદદ કરવાનો છે.
સહાયનું ધોરણ (સબસીડી)
આ યોજના હેઠળ 600 કિગ્રા થી 1500 કિગ્રાની ક્ષમતા ધરાવતા માલવાહક વાહનો (જેમ કે છોટા હાથી કે ટાટા એસી) પર નીચે મુજબ સહાય મળે છે:
| ખેડૂતનો પ્રકાર | સહાયની રકમ |
|---|---|
| નાના, સીમાંત, મહિલા, SC અને ST ખેડૂતો માટે | કુલ ખર્ચના 35% અથવા મહત્તમ ₹75,000 (બેમાંથી જે ઓછું હોય તે) |
| સામાન્ય અને અન્ય ખેડૂતો માટે | કુલ ખર્ચના 25% અથવા મહત્તમ ₹50,000 (બેમાંથી જે ઓછું હોય તે) |
