Rajkot News: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં 7 લાખ કરોડ રૂપિયાના રોકાણની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમતના વિકાસ અને સામાજિક સુવિધાઓના વિસ્તરણ પર ભાર મૂક્યો હતો. જામનગરમાં સૌથી મોટું AI-રેડી ડેટા સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે. તેમજ જિઓ એક "પિપલ-ફર્સ્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ" લોન્ચ કરશે.
જિઓ એક "પિપલ-ફર્સ્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ" લોન્ચ કરશે
અંબાણીએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં રિલાયન્સે ગુજરાતમાં 3.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. આ આંકડો આગામી પાંચ વર્ષમાં બમણો કરીને 7 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે. જામનગરમાં ભારતનું સૌથી મોટું AI-રેડી ડેટા સેન્ટર બનાવવાની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય "દરેક ભારતીય માટે સસ્તું AI" ઉપલબ્ધ કરાવવાનો છે. જિઓ એક "પિપલ-ફર્સ્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ" લોન્ચ કરશે, જે ભારતમાં બનેલું હશે અને તે ભારત તેમજ વિશ્વ માટે કામ કરશે. આ પ્લેટફોર્મ ગુજરાતથી શરૂ કરીને દરેક નાગરિકને તેમની પોતાની ભાષામાં અને તેમના પોતાના ઉપકરણ પર દરરોજ AI સેવાઓ પૂરી પાડશે, જેનાથી તેમની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધશે.
#WATCH | Rajkot, Gujarat | At the Vibrant Gujarat Regional Conference, Chairman & Managing Director of Reliance Industries Limited, Mukesh Ambani says, "The Reliance Foundation stands ready to serve the Prime Minister's vision of bringing the 2036 Olympics to Ahmedabad as a… pic.twitter.com/NJWnAIOwi8
— ANI (@ANI) January 11, 2026
નરોડા ખાતેના વીર સાવરકર મલ્ટિસ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન કરશે
મુકેશ અંબાણીએ 2036 ઓલિમ્પિક્સ અમદાવાદમાં લાવવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રિલાયન્સ ગુજરાત સરકાર સાથે મળીને નરોડા ખાતેના વીર સાવરકર મલ્ટિસ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન કરશે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવા અને ભારતના ભાવિ ચેમ્પિયનોને તાલીમ આપવાનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત, જામનગરમાં વિશ્વ કક્ષાની હોસ્પિટલ સ્થાપવામાં આવશે અને શૈક્ષણિક સુવિધાઓનું પણ બહુવિધ વિસ્તરણ કરવામાં આવશે.
આ પણ વાંચો
#WATCH | Rajkot, Gujarat | At the Vibrant Gujarat Regional Conference, Chairman & Managing Director of Reliance Industries Limited, Mukesh Ambani says, "Jai Somnath! The positive vibrations from our Prime Minister's prayers at Somnath are resonating across Gujarat and India...… pic.twitter.com/1RFapgzlay
— ANI (@ANI) January 11, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી
અંબાણીએ વૈશ્વિક પડકારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે અને ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ નવા પડકારો ઊભા કરી રહી છે, પરંતુ ભારત માટે આશ્વસ્ત કરનારી વાત એ છે કે આ પડકારો આપણા લોકોને સ્પર્શી શકતા નથી, કારણ કે ભારત પાસે નરેન્દ્ર મોદી નામની અદમ્ય રક્ષણાત્મક દીવાલ છે. તેમણે ઉમેર્યું કે આ ભારતનો નિર્ણાયક દાયકો છે અને વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ભારત માત્ર ભવિષ્યની તૈયારી નથી કરી રહ્યું, પરંતુ તેને આકાર આપી રહ્યું છે. અંબાણીએ વડાપ્રધાનના વિઝનને કારણે ભારતે સંભવિતતાથી પ્રદર્શન તરફ, આકાંક્ષાથી કાર્ય તરફ અને અનુયાયીમાંથી વૈશ્વિક શક્તિ બનવા તરફ પ્રયાણ કર્યું હોવાનું પણ જણાવ્યું છે.
