પોરબંદરના પ્રવાસીઓ અને વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 1 મહિનાથી બંધ પડેલી વિમાની સેવા આગામી 25 જૂનથી ફરી ધમધમતી થશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડલિયાએ જાહેરાત કરી છે કે, પોરબંદરથી મુંબઈ, અમદાવાદ અને કેશોદ વચ્ચે એર ઈન્ડિયાની સબસીડીયરી કંપની 'એલાયન્સ એર' ની સેવા શરુ થશે.
આ સેવા માટે 72 સીટરનું એ.ટી.આર-72 એરક્રાફ્ટ કાર્યરત કરાશે. જે અઠવાડિયામાં બે દિવસ એટલે કે, દર ગુરુવાર અને શનિવારે ઉડાન ભરશે.
| રૂટ (Route) | ઉપડવાનો સમય (Departure) | પહોંચવાનો સમય (Arrival) |
| મુંબઈ થી પોરબંદર | સવારે 07:05 કલાકે | સવારે 08:40 કલાકે |
| પોરબંદર થી કેશોદ | સવારે 09:05 કલાકે | સવારે 09:35 કલાકે |
| કેશોદ થી અમદાવાદ | સવારે 09:35 કલાકે | સવારે 10:55 કલાકે |
| અમદાવાદ થી કેશોદ | સવારે 11:20 કલાકે | બપોરે 12:15 કલાકે |
| કેશોદ થી પોરબંદર | બપોરે 12:40 કલાકે | બપોરે 13:10 કલાકે |
| પોરબંદર થી મુંબઈ | બપોરે 13:10 કલાકે | બપોરે 15:10 કલાકે |
