CM Patel Panchmahal visit: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે રવિવારના રોજ પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના કેશવ ગ્રાઉન્ડથી પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ભેટ આપી છે. મુખ્યમંત્રી પટેલના હસ્તે પંચમહાલમાં રૂપિયા 732 કરોડના કુલ 112 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, વિકાસની મુખ્ય ધારામાં છેવાડાના માનવીને જોડવો એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. સમગ્ર આદિવાસી પટ્ટીમાં સુખનો સૂરજ લાવવા માટે સરકાર દ્વારા રૂ. 2 લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
LIVE: પંચમહાલ જિલ્લાના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિતિ. https://t.co/CNJMSmites
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 15, 2026
ખેડૂતો માટે સિંચાઈની સુવિધામાં વધારો
આદિવાસી વિસ્તારમાં સિંચાઈ માટે પાણીના સુદ્રઢ આયોજનથી વિકાસની નવી દિશા આપવાનો સરકારનો લક્ષ્યાંક છે. પાનમ જળાશય આધારિત યોજનાથી પંચમહાલ જિલ્લાના 79 જેટલા ગામોમાં સિંચાઈનું પાણી પહોંચશે અને સમૃદ્ધિ આવશે.
આ ઉપરાંત, છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ઉદવહન સિંચાઈ યોજના મારફતે 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે રીમોટ કંટ્રોલથી વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તથા તકતી અનાવરણ કર્યું હતું.
પંચમહાલ જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાના સંકલ્પ સાથે આજે અંદાજે રૂ. 732 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 15, 2026
જિલ્લાના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં સિંચાઈની સુવિધા સુદૃઢ બનાવવા પાનમ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા આશરે 254… pic.twitter.com/Y7Wu9tit4S
આરોગ્ય સેવાઓ થશે વધુ મજબૂત
અંતરિયાળ વિસ્તારોમાં લોકોને ઘર આંગણે જ શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. યુવા ડોક્ટરો આદિજાતિ વિસ્તારમાં પોતાની હોસ્પિટલ શરૂ કરી શકે તે માટે રાજ્યના બજેટમાં રૂ. 22 કરોડની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ પગલાંથી આ વિસ્તારોમાં મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલની સંખ્યામાં વધારો થશે.
ગુજરાત સરકારનું લક્ષ્ય છેવાડાના ગામડાથી લઈને વિકસતા શહેરો સુધી દરેક નાગરિકના જીવનધોરણમાં સકારાત્મક બદલાવ લાવવાનું છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 15, 2026
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસનો યજ્ઞ આદર્યો છે.
આ જ લક્ષ્ય સાથે પંચમહાલ હોય કે ડાંગ, સમગ્ર… pic.twitter.com/vljUGyPjlk
પાવાગઢ અને પંચમહાલના ઐતિહાસિક વારસાને નમન
આ લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પંચમહાલની પાવન ધરતી પર બિરાજમાન પાવાગઢ શક્તિપીઠ અને મહાકાળી માતાના ચરણોમાં વંદન કર્યા હતા. CM પટેલે જણાવ્યું કે, 500 વર્ષ બાદ પાવાગઢ પર થયેલ ધ્વજારોહણ એ આસ્થા અને વિકાસના સમન્વયનું ઉત્તમ પ્રતીક છે.
LIVE: દાહોદ જિલ્લાના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિતિ. https://t.co/ri19qN1eUl
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 15, 2026
વધુમાં, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંત પૂજ્ય રંગ અવધૂત મહારાજ, ઠક્કરબાપા, મહાત્મા ગાંધી અને સરદાર પટેલના પંચમહાલ સાથેના અતૂટ જોડાણને યાદ કરીને આઝાદીની લડતમાં જિલ્લાના નોંધપાત્ર ફાળાનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો: ભાજપ જનસેવા માટે કાર્ય કરતી પાર્ટી, કોંગ્રેસ જનતાને છેતરવાનું કામ કરે છે: જગદીશ વિશ્વકર્મા
આ પ્રસંગે જિલ્લામાં થયેલ વિકાસની સફર અને ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયેલ વિભાગોની માહિતી આપતી બે ટૂંકી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પંચમહાલ જિલ્લાની આદિજાતિ સંસ્કૃતિ અને પરંપરા મુજબ વિવિધ સ્મૃતિચિહ્નો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
