Loading...

CM પટેલ આજે કલેકટરો સાથે કરશે મહત્વની બેઠક, વિકાસકાર્યો અને જનહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા

આ બેઠકમાં રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓના અમલીકરણ અને જિલ્લા સ્તરના વહીવટી પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવે તેવી શક્યતા છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 16 Jan 2026 11:31 AM (IST)Updated: Fri 16 Jan 2026 11:32 AM (IST)
cm-bhupendra-patel-meeting-with-collectors-discuss-issues-of-public-interest-674882
HIGHLIGHTS
  • તમામ જિલ્લાના કલેક્ટરો સાથે આજે CM પટેલની બેઠક
  • આ સાથે DDO અને મુખ્ય સચિવ પણ ઉપસ્થિત રહેશે
  • રાજ્યના વિકાસકાર્યો અને જનહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા

CM Patel meeting with collectors: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ અને અન્ય ઉચ્ચ સચિવો પણ ઉપસ્થિત રહીને જિલ્લાવાર કામગીરીનો રિપોર્ટ મેળવશે.

CM પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. આ બેઠકમાં રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓના અમલીકરણ અને જિલ્લા સ્તરના વહીવટી પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવે તેવી શક્યતા છે.

આ બેઠકના મુખ્ય મુદ્દા

  • સરકારી યોજનાનું મોનિટરિંગ: રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે મુખ્યમંત્રી જરૂરી માર્ગદર્શન આપશે.
  • વિકાસ કામોની સમીક્ષા: વિવિધ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ માળખાગત પ્રોજેક્ટ્સ અને તેના ટાર્ગેટ સમય મર્યાદામાં પૂર્ણ કરવા અંગે ચર્ચા થશે.
  • રજૂઆતોનો ઝડપી નિકાલ: 'સ્વાગત' કાર્યક્રમ અને અન્ય માધ્યમો દ્વારા આવતી લોકોની ફરિયાદ તેમજ અરજીઓનો ઝડપથી અને હકારાત્મક નિકાલ લાવવા કલેક્ટરોને સૂચના આપવામાં આવશે.
  • આગામી આયોજન: આગામી સમયમાં યોજાનાર સરકારી કાર્યક્રમો અને નીતિ વિષયક અમલીકરણ અંગે પણ રણનીતિ ઘડવામાં આવશે.

વહીવટી તંત્રને વેગ આપવાનો પ્રયાસ

મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ હંમેશા 'પારદર્શી અને ગતિશીલ' વહીવટ પર ભાર મૂકતા આવ્યા છે. આજની આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લા વહીવટી તંત્ર અને ગાંધીનગર સચિવાલય વચ્ચે સંકલન વધારવાનો છે, જેથી સામાન્ય નાગરિકોને કચેરીના ધક્કા ન ખાવા પડે અને સરકારી પ્રક્રિયા વધુ સરળ બને.