ભાવનગરવાસીઓ માટે ખુશખબર, વધુ 25 નવી PM ઈ-બસ સેવાનો પ્રારંભ; શહેરના અંતરિયાળ વિસ્તારો જોડાશે

કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ લીલી ઝંડી બતાવી ઈ-બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 13 Jun 2026 10:18 AM (IST)Updated: Sat, 13 Jun 2026 10:18 AM (IST)
bhavnagar-pm-e-bus-service-for-city-area-launch-by-jitu-vaghani

Bhavnagar PM E-Bus Service: ભાવનગર શહેરમાં જાહેર પરિવહનની સુવિધાને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. શહેરમાં મુસાફરીને આસાન બનાવવાના ઉદ્દેશ્યથી વધુ 25 નવી PM ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

કુંભારવાડા ખાતેથી ઈ-બસ સેવાનો પ્રારંભ

આ નવી PM ઈ-બસ સેવાનો પ્રારંભ કુંભારવાડા ખાતે આવેલા શીતળા માતાજીના મંદિર પાસેથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશન મહેતા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ આ બસોને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું અને પોતે પણ બસમાં મુસાફરી કરીને આનંદ વ્યક્ત કર્યો હતો.

ગ્રામ્ય વિસ્તારો બાદ હવે શહેર પર ફોકસ

ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સિટી બસ સેવા બંધ હાલતમાં હતી. આ સેવાને પુનઃ શરૂ કરવા માટે ભાવનગર મનપાએ  બે મહિના પહેલાં જ ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ 100 બસોમાંથી પ્રથમ તબક્કાની 50 જેટલી PM ઈ-બસો સાથે પ્રારંભ કર્યો હતો. જોકે, શરૂઆતમાં આ બસોનો લાભ શહેરના લોકોને મળવાને બદલે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં રૂટ ફાળવાયા હોવાના ગંભીર આક્ષેપો થયા હતા.

E-બેસ સેવાનું ભાડું કેટલું?

ઈ-બસ સેવાનું કિલોમીટર મુજબ ભાડું

જોકે, હવે ભાવનગર મહાનગરપાલિકાએ બીજા તબક્કામાં આવેલી આ તમામ 25 નવી ઈ-બસોને માત્ર શહેરના અંતરિયાળ અને મુખ્ય વિસ્તારોમાં જ દોડાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

— Jitu Vaghani (@jitu_vaghani) June 12, 2026

બમણો ફાયદો: આર્થિક રાહત અને પ્રદૂષણ મુક્તિ

આ નવી 25 બસો શરૂ થવાથી ભાવનગર શહેરના અંતરિયાળ વિસ્તારો હવે સીધા જાહેર પરિવહન સેવા સાથે જોડાઈ જશે. આ બસો ઈલેક્ટ્રિક હોવાના કારણે શહેરમાં વાયુ અને અવાજનું પ્રદૂષણ પણ નોંધપાત્ર રીતે ઘટશે.

આ સુવિધાથી રોજિંદી અવરજવર કરતા હજારો મુસાફરોને સરળતા રહેશે અને ખાનગી વાહનો તથા રીક્ષાના સતત વધતા ભાડાના ખર્ચમાંથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને મોટી આર્થિક રાહત મળશે.

કિમીભાડું (રૂપિયા)
0-35
3-510
5-815
8 સુધી20