Loading...

Western Railway: ગુજરાતના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુવર્ણ યુગનો પ્રારંભ; PM મોદીએ ₹891 કરોડની ભેટ ધરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના ત્રણ મહત્વના ક્ષેત્રો—ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ—માટે ₹891 કરોડની રેલવે પરિયોજનાઓનું લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Tue 31 Mar 2026 09:33 PM (IST)Updated: Wed 01 Apr 2026 01:43 AM (IST)
western-railway-golden-era-begins-in-gujarats-railway-infrastructure-pm-modi-gifts-%e2%82%b9891-crore-719258
HIGHLIGHTS
  • ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રોમાં સુદ્રઢ કનેક્ટિવિટીથી આર્થિક અને સામાજિક વિકાસને નવી ગતિ
  • આધુનિક, સમાવેશી અને સશક્ત રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મારફતે વિકસિત ગુજરાતની દિશામાં ઐતિહાસિક સિદ્ધિ

Western Railway: ગુજરાતના સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના ત્રણ મહત્વના ક્ષેત્રો—ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ—માટે ₹891 કરોડની રેલવે પરિયોજનાઓનું લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું છે. આ ઐતિહાસિક પગલાથી ગુજરાતમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મજબૂત કડી ઉમેરાઈ છે.

ખેડબ્રહ્મા-હિંમતનગર-અમદાવાદ: આદિવાસી અને સરહદી વિસ્તારોમાં વિકાસની નવી લહેર
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લા માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. વડાપ્રધાને ₹482 કરોડના ખર્ચે તૈયાર થયેલી 55 કિમી લાંબી ખેડબ્રહ્મા-હિંમતનગર બ્રોડગેજ રેલવે લાઇનનું લોકાર્પણ કર્યું.

મુખ્ય અસરો
ધાર્મિક પર્યટનનો વિકાસ: ખેડબ્રહ્મા, જે પ્રાચીન ‘બ્રહ્મક્ષેત્ર’ તરીકે જાણીતું છે, ત્યાં આવેલા વિશ્વના જૂજ બ્રહ્મા મંદિરોમાંના એક અને આસપાસના આદિવાસી આસ્થાના કેન્દ્રો સુધી પહોંચવું હવે સરળ બનશે. આ લાઇન પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ધામ તરફ જતી કનેક્ટિવિટીને પણ મજબૂત કરશે.

ઔદ્યોગિક ક્રાંતિ
હિંમતનગર એક જાણીતું સિરામિક હબ છે. એશિયન ગ્રેનિટો, એક્સારો અને સેન્ચુરી ટાઇલ્સ જેવા એકમોને હવે અમદાવાદ અને ઉદયપુર સુધી સીધું રેલવે જોડાણ મળતા માલ-પરિવહન ઝડપી અને સસ્તું થશે.

નવી રેલવે સેવા
ખેડબ્રહ્મા–હિંમતનગર–અમદાવાદ (અસારવા) વચ્ચે નવી ટ્રેન સેવા શરૂ થતા મુસાફરોને બસના ભારે ભાડા અને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.

કચ્છમાં લોજિસ્ટિક્સ અને પોર્ટ કનેક્ટિવિટીની મજબૂતી
કચ્છ જિલ્લામાં આર્થિક ગતિવિધિઓને વેગ આપવા માટે ₹152 કરોડના ખર્ચે ગાંધીધામ-આદિપુર રેલવે સેક્શનનું મલ્ટી-ટ્રેકિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

વેપાર અને ઉદ્યોગને લાભ
દીનદયાળ પોર્ટ (કંડલા): કંડલા પોર્ટ સાથે જોડાયેલા આ વ્યસ્ત માર્ગ પર હવે ટ્રેનોની અવરજવર વધારી શકાશે. આયાત-નિકાસના કન્ટેનર, પેટ્રોલિયમ (POL) અને કોલસાનું વહન હવે કોઈ પણ અવરોધ વગર થઈ શકશે.

મીઠું અને ખનિજ ઉદ્યોગ
કચ્છના અગરમાંથી મીઠું અને બેન્ટોનાઈટ જેવા ખનિજોને દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા માટે આ રેલવે લાઈન કરોડરજ્જુ સમાન સાબિત થશે.

સૌરાષ્ટ્રમાં ઉદ્યોગ અને આસ્થાનો સેતુ: કાનાલુસ-જામનગર ડબલિંગ
સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ માટે વડાપ્રધાને ₹257 કરોડના ખર્ચે 27 કિમી લાંબી કાનાલુસ–જામનગર રેલવે લાઇનના ડબલિંગનું લોકાર્પણ કર્યું.

વ્યૂહાત્મક મહત્વ
રિફાઇનરી સેક્ટર: જામનગર સ્થિત વિશ્વની સૌથી મોટી રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગો માટે આ રેલવે ડબલિંગ આશીર્વાદરૂપ બનશે.

દ્વારકા કનેક્ટિવિટી
આ માર્ગ દ્વારકાધીશના દર્શને જતા લાખો શ્રદ્ધાળુઓ માટે ટ્રેનોના સમયમાં ઘટાડો કરશે અને નવી ટ્રેનો દોડાવવાની ક્ષમતા વધારશે.

પ્રોજેક્ટનું નામલંબાઈઅંદાજિત ખર્ચમુખ્ય કેન્દ્રો
ખેડબ્રહ્મા-હિંમતનગર બ્રોડગેજ55 કિમી₹482 કરોડખેડબ્રહ્મા, ઇડર, હિંમતનગર
ગાંધીધામ–આદિપુર મલ્ટી-ટ્રેકિંગ11 કિમી₹152 કરોડગાંધીધામ, આદિપુર, કંડલા પોર્ટ
કાનાલુસ–જામનગર ડબલિંગ27 કિમી₹257 કરોડજામનગર, કાનાલુસ જંકશન